ગુજરાત : ઠંડીના પ્રમાણમાં ફરી વખત નોંધાયેલ વધારો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : અમદાવાદ સહિત ગુજરાત ભરમાં ઠંડીનુ પ્રમાણ અકબંધ રહ્યું છે. આજે પણ લોકોએ નવા વર્ષના પ્રથમ દિવસે સવારમાં જારદાર ઠંડીનો અનુભવ કર્યો હતો.આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૯.૪ ડિગ્રી, ડિસામાં ૯.૩ ડિગ્રી, ગાંધીનગરમાં ૭.૪ ડિગ્રી રહ્યું હતું. જ્યારે નલિયામાં ૭.૨ ડિગ્રી તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગ તરફથી કોલ્ડ વેવની માટેની કોઈ ચેતાવણી જારી કરવામાં ન આવતા સામાન્ય લોકોનીરાહત થઈ છે. આવતી કાલે અમદાવાદમાં પારો વધશે. આનો મતલબ એ થયો કે ઠંડીનું પ્રમાણઁ ઘટશે. આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહી થવાના સંકેત છે.

હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. હવામાન વિભાગ તરફથી ચેતવણી જારી કરાયા બાદ ઠંડીને લઈને લોકો સજ્જ છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે લઘુત્તમ તાપમાન આવતીકાલે ૧૧ ડિગ્રીની આસપાસ રહી શકે છે. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ઠંડા પવનો ફુંકાયા હતા. અમદાવાદમાં હવે રાત્રિ ગાળામાં ઠંડીના લીધે ટ્રાફિકની સ્થિતિ ઓછી જાવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વ†ોમાં નજરે પડે છે. વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે. તીવ્ર ઠંડીના લીધે જનજીવન ઉપર પણ અસર થઈ છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઠંડી વધવાના સંકેત છે.

હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ  નીચે સરકે તેવી આગાહી વ્યકત કરાઇ છે. હાલમાં નીચલી સપાટી પર ઉત્તરથી ઉત્તર-પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે. અમદાવાદમાં ઠંડીનો ચમકારો રહેતા લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ દેખાયા હતા. ઠંડીમાં એકાએક વધારો થતાં ઠંડીના ગરમ વ†ોના બજારમાં જારદાર તેજી જામી છે. અમદાવાદ શહેરની સાથે સાથે રાજ્યના જે ભાગોમાં આજે પારો ૧૦થી નીચે પહોચ્યો હતો તેમા ગાંધીનગર, અમરેલી, મહુવા, કંડલા એરપોર્ટનો સમાવેશ થાય છે. આ તમામ વિસ્તારમાં લોકોએ જારદાર ઠંડીનો અનુભવ કર્યો હતો. નવા વર્ષની શરૂઆત થયા બાદ ૧૪મી જાન્યુઆરી પછી ઠંડીના પ્રમાણમાં ધીમે ધીમે ઘટાડો થશે અને લોકોને રાહત થશે. હાલમાં ઉત્તર ભારત જારદાર ઠંડીના સકંજામાં આવેલું છે.

Share This Article