બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટના સફળ લૉન્ચિંગ પછી વોકહાર્ટ હોસ્પિટલ્સ,રાજકોટ તેની અત્યાધુનિક એમઆરઆઈ ફેસિલિટી અને ૭ મુ મોડ્યુલર ઓપરેશન થિએટર (ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સક્ષમ) ના ભવ્ય ઉદઘાટન કરવામાં ખુબ જ ગર્વ અનુભવે છે.આ નોંધપાત્ર માઈલસ્ટોન રાજકોટના હૃદયમાં એડવાન્સ હેલ્થકેર સર્વિસીસના નવા યુગની નિશાની છે. વોકહાર્ટ હોસ્પિટલ્સ અપ્રતિમ હેલ્થકેર સર્વિસીસ પહોંચાડવા અને પેશન્ટ કેરને અભૂતપૂર્વ સ્તર સુધી પહોંચાડવા માટે તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે. અદ્યતન MRI(મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ) ક્ષમતાઓ સાથે, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ તેમના દર્દીઓ માટે ચોક્કસ નિદાન અને વ્યક્તિગત સારવાર યોજનાઓ પ્રદાન કરીને, નિદાનની ચોકસાઇમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે. ઇન્સ્ટોલ કરેલ નવા એમઆરઆઈની મુખ્ય વિશેષતા તેની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સંચાલિત સ્માર્ટ પોસ્ટ-પ્રોસેસિંગ ક્ષમતા છે, જે ચોકસાઈ સાથે સમાધાન કર્યા વિના ઝડપી પરિણામોની ખાતરી આપે છે. એમઆરઆઈ મશીનની કેટલીક વિશિષ્ટતાઓ: 1. આખા શરીરના MRI 45 મિનિટની અંદર પ્રાપ્ત કરી શકાય છે, તે પ્રિવેન્ટિવ મેડિકેશન અથવા ડાયગ્નોસ્ટિક ઇમેજિંગ માટે પ્રોએક્ટિવ મેઝર તરીકે સેવા આપે છે....
ડૉ. ક્લાઈવ ફર્નાન્ડિસ, ગ્રુપ ક્લિનિકલ ડિરેક્ટર અને ગ્રુપ ચીફ ઓપરેટિંગ ઓફિસર વોકહાર્ટ હોસ્પિટલ્સ; કન્સલ્ટન્ટ જોઈન્ટ કમિશન ઇન્ટરનેશનલ યુએસએ રાજકોટ: વોકહાર્ટ હોસ્પિટલ્સ લિમિટેડ, ભારતની અગ્રણી હેલ્થકેર પ્રોવાઇડરે રાજકોટ ખાતે પેશન્ટ સેફ્ટી પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનો હેતુ દર્દીની સલામતીના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને દર્દીઓને તેમની દેખરેખમાં સક્રિયપણે ભાગ લેવા માટે સશક્તિકરણ કરવાનો હતો.પેશન્ટ સેફ્ટી સેશન વિશે વાત કરતાં, ડૉ. ક્લાઈવ ફર્નાન્ડિસે કહ્યું,"હાલ પેશન્ટ સેફટી અંગે ઘણી કોન્ફરન્સ અને લેક્ચર્સ થઈ રહ્યાં છે, જે ઘણી સરાહનીય બાબત છે. પરંતુ વાસ્તવમાં વિનિમય કરાયેલી કેટલી માહિતી સંસ્થાને પાછી ફરે છે, તે સ્ટેક હોલ્ડર્સ સાથે શેર કરવામાં આવે છે અને ખરેખર તેનાથી પ્રોસેસમાં સુધારો થાય છે કે નહીં તે વિચારવા જેવો પ્રશ્ન છે. આથી મારી આ વિઝીટ દરમિયાન મેં વાસ્તવમાં મહત્વની બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે મારા ડોક્ટર્સ, નર્સો અને તમામ વિભાગોના સહયોગીઓ સાથે વાત કરવાનું નક્કી કર્યું કે કેવી રીતે અમે વ્યાખ્યાયિત કરેલા વિવિધ સલામતી પ્રોટોકોલ પેશન્ટ સેફટીને સુધારવામાં અને નુકસાનને રોકવામાં મદદ કરે છે. તેમણે વધુમાં ઉમેર્યું,“હું માનું છું કે વોકહાર્ટ હોસ્પિટલ્સમાં પેશન્ટ સેફટી એ માત્ર એક ધ્યેય નથી પરંતુ અમારો માર્ગદર્શક સિદ્ધાંત છે. હેલ્થકેર પ્રોફેશનલ્સની અમારી ટીમ અમારા નિર્ધારિત પેશન્ટ પ્રોટોકોલ 365*24*7ને અમલમાં મૂકવા માટે સહયોગથી કામ કરે છે આમ અમારી હોસ્પિટલ આવતા દરેક દર્દીની સુખાકારી અને સલામતીને પ્રાથમિકતા આપે છે.”. ડૉ. ક્લાઇવ ફર્નાન્ડિસે ધ્યાન કેન્દ્રિત કરેલી કેટલીક મુખ્ય થીમ્સ છે : 1. ઈફેક્ટિવ કોમ્યુનિકેશન 2. ટીમવર્ક અને કોલેબોરેશન 3. રિસ્ક આઇડેન્ટિફિકેશન અને મિટિગેશન 4. પેશન્ટ એન્ગેજમેન્ટ & એજ્યુકેશન દર્દીની સલામતી અંગે મંતવ્યો શેર કરતા, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના સેન્ટર હેડ ડૉ. મનીષ અગ્રવાલ એ જણાવ્યું હતું કે,“વોકહાર્ટ હોસ્પિટલ્સમાં, અમે હંમેશા પેશન્ટ સેફટીને પ્રાથમિકતા આપી છે. અમારા તમામ ક્લિનિકલ અને ઓપરેશનલ પ્રોટોકોલ દર્દીની સલામતીને ધ્યાનમાં રાખીને વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે. વોકહાર્ટ હોસ્પિટલ્સ માં તેની ખાતરી કરવા માટે અમે અમારા તમામ સહયોગીઓમાં અમારા નિર્ધારિત પ્રોટોકોલને વધુ મજબૂત બનાવવા માટે નિયમિતપણે જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ.
રાજકોટ: વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ હંમેશાથી ક્રિટિકલ કેસીસની સરળ રીતે સારવાર કરવા માટે જાણીતું છે. અહીંના ડોક્ટર્સની ટીમ અભૂતપૂર્વ છે. તાજેતરના જ કેસની વાત કરીએ તો એક 76 વર્ષીય દર્દીને જમણા પગમાં દુખાવો, ચાલી શકવાની અસમર્થતા,હાઈ પલ્સ રેટ (હાર્ટ રેટ ૧૦૦ થી વધુ) તથા Spo2(ઓક્સિજન સેચ્યુરેશન ૭૦ થી ૮૦ની વચ્ચે)ની ફરિયાદ સાથે ઇમરજન્સી માં દાખલ કરવામાં આવ્યા. તેમને 2 દિવસથી જમણા પગના થાપાના ગોળાના સાંધાનો દુખાવો થતો હતો કે જેને રાઈટ હિપ જોઈન્ટ પેઈન કહેવાય છે. અગાઉ દર્દીએ જૂનાગઢમાં પ્રાથમિક સારવાર લીધી પરંતુ તેમને દર્દીની પરિસ્થિતિમાં ગંભીરતા જણાતાં દર્દીના પરિવારજનો તેમને વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે લઈને આવ્યાં હતા. તેમને સિનિયર ઓર્થોપેડીક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડૉ. ઉમંગ શિહોરાની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. એક્સરે કરાવતાં માલૂમ થયું કે દર્દીને જમણા થાપાના ગોળાનું ફ્રેકચર છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં ડૉ. ઉમંગ શિહોરા પાસે કોમ્પ્લિકેટેડ કેસીસ (HighSkill) ને હેન્ડલ કરવાની એક બેજોડ આવડત છે, જેનો લાભ સૌરાષ્ટ્રના હજારો દર્દીઓને અવિરત રીતે છેલ્લા ૧૫ વર્ષથી પણ વધારે સમયથી મળી રહ્યો છે.ડૉ. ઉમંગ શિહોરા, સિનિયર કન્સલ્ટન્ટ- ઓર્થોપેડીક એન્ડ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન એ જણાવ્યું હતું કે,"દર્દીને ઇમર્જન્સીમાં દાખલ કરાયા બાદ તેમના 2D ઇકો (હ્રદય ની તપાસ) તથા સીટી એન્જીઓ ચેસ્ટ(ફેફસાની મુખ્ય નળીઓ નો અત્યાધુનિક રીપોર્ટ) કરતા જણાયું કે દર્દીના Low Spo2 (૭૦-૮૦%) રહેવાનું કારણ પીએએચ (pulmonary Arterieal Hypertension) છે. દર્દીને દાખલ કરતા સમયે 5 લીટર મિનિટથી ઓક્સિજન આપવાની જરૂરિયાત ઊભી થઈ હતી. દર્દીના બાકીના તમામ રીપોર્ટ તથા ઑપરેશનની તૈયારી કરીને તેમને બીજા દિવસે સવારે ૯ વાગ્યે ઓક્સિજનના સપોર્ટ સાથે ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા જ્યાં અમે કુશળ એનેસ્થેસિયાના સથવારે દર્દીના જમણા થાપાના ગોળાનું ઓપરેશન માત્ર 60 મિનિટમાં જ પૂર્ણ કર્યું અને સાંજ પડતાં જ દર્દી માત્ર ૬ કલાકની અંદરજ વોકરના સહારે ચાલતાં પણ થઇ ગયા"એક અઠવાડિયા દરમિયાનમાં જ દર્દીને જોતા ખૂબ જ સંતોષ થાય તેવું આશ્ચર્યજનક પણ છતાંય વૈજ્ઞાનિક પરિણામ દેખાય છે. દર્દી તથા તેમના પરિવારજનો તરફથી ડૉ. ઉમંગ શિહોરા નો દિલ થી ખૂબ ખૂબ આભાર મનાઈ રહ્યો છે. ડૉ. ઉમંગ શિહોરાએ લગભગ આશરે 3000 જેટલી ફ્રેકચર સર્જરી,2500થી વધારે ટોટલ ની રિપ્લેસમેન્ટ સર્જરી (TKR) તથા 1200થી વધારે ટોટલ હિપ રિપ્લેસમેન્ટ (THR) સર્જરી સફળતાપૂર્વક કરેલી છે.થાપાના સાંધાની કે થાપાના ગોળાની આસપાસ થતી ફ્રેક્ચરોની સરળ અને સફળ સર્જરીઓ કરીને દર્દીઓને કલાકોની ગણતરીઓમાચ પોતાના પગ ઉપર ઉભા કરીને ચાલતા કરી આપવા એવી સર્જરીઓમાં ડો.ઉમંગ શિહોરા નિપુણ છે.