અમદાવાદ

શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી દ્વારા શ્રી વલ્લભસખી રસપાન મહોત્સવ નો અમદાવાદ ખાતે આરંભ થયો

૧ થી ૩ એપ્રિલ સુધી કાંકરીયામાં એકા ક્લબ ખાતે ત્રણ દિવસના ધાર્મિક મહોત્સવનું આયોજન અમદાવાદ:જાણીતા આધ્યાત્મિક ગુરૂ અને ઈન્ટરનેશનલ વૈષ્ણવ…

ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર મલ્હાર ઠાકરના હસ્તે ‘ધ વીકેન્ડ વિલા પ્રોજેક્ટ – ધ વિલેજ વર્લ્ડ’ લોન્ચ

અમદાવાદ સ્થિત રિયલ એસ્ટેટ ડેવલપર શ્રી રાહુલ ઘિયા અને રૂપલ ઘિયાએ 'ધ વિલેજ વર્લ્ડ -બેક ટુ રૂટ્સ' થીમ પર પ્રીમિયમ…

હેપ્પીઓન પાર્ટી એન્ડ પ્લે અમદાવાદમાં તેનું પ્રથમ સેન્ટર ખોલ્યું

હેપ્પીઓન પાર્ટી એન્ડ પ્લે, બાળકો માટે એક પ્રકારનો 100 % ગેજેટ-ફ્રી પ્લે એરિયા, શુક્રવારે અમદાવાદમાં તેનું પ્રથમ સેન્ટર ખોલ્યું અને…

પબ્લિક રિલેશન્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અમદાવાદ ચેપ્ટર દ્વારા નેત્રહીન લોકો માટે આંખોની સંભાળ માટે નિષ્ણાતો સાથે ટોક શોનું આયોજન

અંધત્વ એ એક મોટી સમસ્યા અને પીડાદાયક સ્થિતિ છે અને જેઓ તેનાથી પીડાય છે એવું પીડા  આંખો ધરાવતા લોકો અનુભવી શકતા નથી. આજની તારીખમાં આપણા દેશમાં લગભગ એક કરોડથી વધુ લોકો અંધત્વથી પીડાય છે. આજે સમગ્ર વિશ્વમાં અંદાજે 37 મિલિયન અંધ લોકો છે. આ દૃષ્ટિહીન લોકો દ્વારા અનુભવાતા પડકારોને જ ધ્યાનમાં રાખીને, ભારત સરકાર દ્વારા દર વર્ષે અંધત્વ નિવારણ સપ્તાહ અભિયાનનું આયોજન કરવામાં આવે છે. અંધ લોકો પ્રત્યે જાગૃતિ વધારવા માટે આ અભિયાન દર વર્ષે 1લી થી 7મી એપ્રિલ દરમિયાન યોજવામાં આવે છે. તેના કોમ્યુનિટી સર્વિસ એજન્ડાના ભાગરૂપે પબ્લિક રિલેશન્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અમદાવાદ ચેપ્ટર દ્વારા આંખની સંભાળ અને આરોગ્ય સેવાઓના ક્ષેત્રના કેટલાક નિષ્ણાતો સાથે ટોક શોનું  આયોજન કરવામાં આવ્યું હતું જેથી આવા વિઝ્યુઅલી ચેલેન્જ્ડ લોકો માટે આંખની સંભાળ સેવાઓ અને એક સક્ષમ વાતાવરણ અંગે જાગૃતિ ફેલાવવામાં મદદ કરી શકાય. અંધ કન્યા પ્રકાશ ગૃહ, મેમનગર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મિશન વિઝન આઈ કેર સેન્ટરના ડો. ઝંખના મહેશ્વરી, ઐનખવાલા ઓપ્ટિકલ સ્ટોર્સના શ્રીમતી રચના ટાટેડ અને મોઢ ઈન્ડિયાના પ્રમુખ શ્રી હિમાચલ ભુતક જેવા નિષ્ણાતોએ આંખની સંભાળ અને ભવિષ્યના વ્યૂહરચના, સનગ્લાસેસનું મહત્વ, પોષણનું મહત્વ, દૃષ્ટિની ખોટમાં વહેલી ઓળખ અને સૌથી મહત્વની બાબત  કે દૃષ્ટિહીન લોકો માટે સક્ષમ વાતાવરણ કેવી રીતે બનાવવું, એમના  માટે ગૌરવ અને રોજગારનું વાતાવરણ કેવી રીતે બનાવવું જેવા અનેક મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરી હતી.  અંધ કન્યા પ્રકાશ ગૃહના આચાર્ય શ્રીમતી દિપાલી અને પબ્લિક રિલેશન્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અમદાવાદ ચેપ્ટરના સેક્રેટરી શ્રી. સુભોજિત સેન ,શ્રી. દક્ષેશ રાવલ અને શ્રી. પરેશ રામટેકે એ મહાનુભાવોનું સ્વાગત કરી જાગૃતિ અભિયાનનો પ્રારંભ કર્યો  હતો. આંખના નિષ્ણાત ચિકિત્સક અને મહેશ્વરી કૉમ્યૂનિટીના જાણીતા ગૌરવ કે જેઓ છેલ્લા 2 દાયકાથી આંખની સંભાળના ક્ષેત્રમાં કાર્યરત છે એવા ડો. ઝંખના મહેશ્વરીએ જણાવ્યું હતું કે, “ગુજરાતમાં મેં પ્રથમ વખત એવું આંખની થેરાપી તૈયાર કરી છે જે કોઈપણ સર્જરી અને ઓપરેશનની જરૂર વગર તમારી આંખોને કુદરતી રીતે ઈલાજ કરવાનો પ્રયાસ કરે છે. તે તમને તમારા ચશ્માથી કાયમ માટે છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે. હું માનું છું કે આંખની યોગ્ય સંભાળ અને સૌથી અગત્ય આમારા દિન પ્રતિદિનના આહારનું પોષણ મૂલ્ય અંધત્વના  નિવારણમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.’’ ઐનખવાલા ઓપ્ટિકલ સ્ટોર્સ જે શહેરમાં લગભગ 10 સ્ટોર્સ ધરાવે છે એમના ડાયરેક્ટર શ્રીમતી રચના ટાટેડે જણાવ્યું હતું કે, “અંધત્વની રોકથામ સુનિશ્ચિત કરવા માટે વહેલાસર નિદાન અને નિયમિત આંખની તપાસ જરૂરી છે. આજે સનગ્લાસ અને સ્પેક્ટેકલ્સની દુનિયામાં એટલી બધી પ્રગતિ થઈ છે કે જે તમારી આંખોને સૂર્યના હાનિકારક રેડિયેશનથી બચાવે છે અને તેથી ઉનાળામાં આપણે બધાએ ચોક્કસપણે આપણી આંખોનું રક્ષણ કરવાનું વિચારવું જોઈએ. સનગ્લાસ હંમેશા માત્ર ફેશન માટે જ નથી હોતા, તે આપણી આંખોને પણ સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. મોટા ભાગના અંધ લોકો પાસે અમુક દ્રષ્ટિ હોય છે જેનું રક્ષણ કરી શકાય છે. ઐનખવાલા ઓપ્ટિકલ સ્ટોર્સની સ્થાપના 2019 માં લાખો લોકોની આંખોને સુરક્ષિત કરવાના મિશન સાથે કરવામાં આવી હતી અને અમે સનગ્લાસ અને સ્પેક્ટેકલ્સનો ઉપયોગ કરીને વધુ દૃષ્ટિની ખોટ અટકાવવા માટે વંચિત અંધ લોકોને મદદ કરવા ઈચ્છીએ છીએ. અમે સનગ્લાસ/સ્પેક્ટેકલ્સની જૂની જોડીના દાન માટે આતુર છીએ જેને  અમે રીનોવેશન કરી શકીએ અને જરૂરિયાતમંદોને આપી શકીએ.” મોઢ ઈન્ડિયાના પ્રમુખ શ્રી હિમાચલ ભુતકે સશક્તિકરણ અને ભવિષ્યના મહત્વના મુદ્દાઓ પર વાત કરતા જણાવ્યું હતું કે જ્યારે નિવારણ ખરેખર ચર્ચાનો મુખ્ય મુદ્દો છે, તેમ છતાં તે સમાન રીતે મહત્વપૂર્ણ છે કે દૃષ્ટિની પડકારવાળા લોકોને આપણા સમાજના એક ભાગ તરીકે સ્વીકારવું અને તેમના પર દયા કરવાને બદલે આપણે સમર્થન આપવા માટે તૈયાર રહેવું જોઈએ. જ્યારે આપણે તેમના પડકારોને સમજીશું ત્યારે જ આપણને આપણી આંખોનું મહત્વ સમજાશે અને અંધત્વને રોકવા માટે વધુ કાળજી લઈશું. આગામી એક સપ્તાહ માટે આ અભિયાન ચાલુ રહેશે અને બધ્ધા નિષ્ણાતો અને PRCI  અમદાવાદ ચેપ્ટરના સભ્યો પણ આ અભિયાનના ભાગરૂપે પોતાના ફાળો આપશે.

અમદાવાદમાં રૂ. ૧૩.૫૦ કરોડના ૨૫ કિલો સોનાની લૂંટની ઘટના બની, ક્રાઇમબ્રાંચે ૫ આરોપીની તપાસ હાથ ધરી

અમદાવાદમાં ફરી એકવાર લૂંટની ઘટના બની છે. અમદાવાદથી મુંબઈ સોનું લઈ જવાતા પહેલા જ આરોપીઓ ચોરી કરીને ફરાર થઈ ગયા…

અમદાવાદ યુનિવર્સિટીમાં JCB લિટરેચર ફાઉન્ડેશન દ્વારા સમર્થિત સાહિત્યિક અનુવાદ અભ્યાસક્રમની પ્રથમ બેચના પદવીદાન સમારંભની ઉજવણી

JCB લિટરેચર ફાઉન્ડેશન (JCBLF) અને અમદાવાદ યુનિવર્સિટીના ઉપક્રમે સાહિત્યિક અનુવાદ અભ્યાસક્રમની તેની પ્રથમ બેચના પદવીદાન સમારંભની ઉજવણીમાં, યુવાનોને પ્રકાશનની દુનિયાથી…

૨૭ અને ૨૮ માર્ચ દરમયાન બે દિવસીય હાઈ લાઈફ સંસ્કરણનું ફરી રજુઆત અને કેટલાક મહિલા સાહસિકોનું ખાસ સન્માન

૨૭ માર્ચ, ૨૦૨૩ : માર્ચ મહિનો એટલે કે વુમેન્સ ડે ની ખાસ ઉજવણી કરવાના મહિનો અને એટલે જ આગામી બ્રાઇડલ…

૨૭ અને ૨૮ માર્ચ દરમયાન બે  દિવસીય હાઈ લાઈફ સંસ્કરણનું ફરી રજુઆત અને કેટલાક મહિલા સાહસિકોનું ખાસ સન્માન

માર્ચ મહિનો એટલે કે વુમેન્સ ડે ની ખાસ ઉજવણી કરવાના મહિનો અને એટલે જ આગામી બ્રાઇડલ અને ઉનાળા સીઝનના ફેશન ટ્રેન્ડસના સાથે સાથે બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન દ્વારા કેટલાક મહિલા ઉદ્યોગસાહસિકો માટે એક સન્માન સત્રનું આયોજન કરવામાં આવ્યું. આગામી સીઝન  માટેનું નવીનતમ બ્રાઇડલ વેર કલેકશન્સ અને ફેશન ટ્રેન્ડસ સાથે બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન અમદાવાદમાં ફરી એક બાર પાછો આવી ગયા છે અને અમદાવાદના દ ગ્રાન્ડ ભગવતી હોટલ ખાતે આ બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનનું પ્રારંભ કરવામાં આવ્યું હતું . ૨૭ અને ૨૮  માર્ચ , ૨૦૨૩ દરમિયાન કોલકત્તા, દિલ્હી, મુંબઈ, દુબઇ, હૈદરાબાદ, બેંગલોર, સુરત, પુણે, જયપુર અને લખનૌ જેવા ફેશન સભાન શહેરોમાં થી  ૧૫૦ જેવા ડિઝાઇનર્સ દ્વારા પોતાના બ્રાઇડલ કલેક્શન્સનું રજુઆત આ એક્ઝિબિશનમાં કરવામાં આવશે. ૨૭ અને ૨૮ માર્ચ દરમયાન દ ગ્રાન્ડ ભગવતી ખાતે યોજાનાર આ બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન શહેરના કેટલાક જાણીતા મહિલા ઉદ્યોગસાહસિકોને એમના સિદ્ધિઓ માટે બિરદાવા આવ્યું હતું. રંગરીવા સ્ટુડિઓઝના ડિરેક્ટર - સુશ્રી RJ  ભૂમિકા ત્રિવેદી, લાઇન્સ બિઝનેસ નેટવર્ક ચેરના સુશ્રી જુલી પંચાલ, ટોપ મોડેલ અને સામાજિક કાર્યકર્તા - શ્રીમતી વિની શર્મા, મિસિસ ઈન્ડિયા લેગેસી ૨૦૨૦ના રનર ઉપ અને બ્રાન્ડ એમ્બેસેડર - શ્રીમતી વિશાખા રંજન, ફેશન જર્નાલિસ્ટ - સુશ્રી ધ્રુવી શાહ, સામાજિક ઉદ્યોગસાહસિક - શ્રીમતી જયા શ્રીવાસ્તવ, મોટીવેશનલ સ્પીકર અને લાઈફ કોચ - શ્રીમતી નૈસર્ગી શાહ, વાઇબ્રન્ટ એન્કર અને પૂર્વ મિસ ગુજરાત - વૈભવી શાહ, કરણ ફોઉંડેશનના રાખી વર્મા અને શ્રી ઓપ્ટીશિયન્સના ડિરેક્ટર અને લાયન્સ ગ્રુપમાં કાર્યરત શ્રીમતી તૃપ્તિ વ્યાસનું કાર્યક્રમમાં અભિવાદન કરવામાં આવ્યું હતું અને એમના દ્વારા હાઈ લાઈફના આ સંસ્કરણનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ઇવેન્ટના આયોજક એબી ડોમિનીકે જણાવાયું હતું, ‘આ બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનમાં તાજગીપૂર્ણ રીતે દેશભરના નવીન ડિઝાઇનર્સના દ્વારા…

 દસરાના પ્રમોશન માટે શહેરમાં આવેલ નાનીનું અમદાવાદીઓએ ઉષ્માભેર સ્વાગત કર્યું

નેચરલ એક્ટર નાની પ્રમોશન માટે ભારતના માન્ચેસ્ટર, અમદાવાદમાં આવતાની સાથે જ દેશભરના ચાહકો માટે 'દસરા' લાવવા માટે તૈયાર છે.  ટ્રેલર…

અમદાવાદની સ્વાદિષ્ટ વાનગીઓ HistoryTV18 અને રોકીની મનોરંજન નવી સિઝન ડિજિટલ-ફર્સ્ટ સીરિઝ #RoadTrippinWithRockyમાં જુઓ, જેની ગ્રાન્ડ ફિનાલે શહેરમાં યોજાશે

ભારતનાં મનપસંદ ટ્રાવેલર અને ફૂડપ્રેમી રોકી સિંહ પશ્ચિમ ઘાટની શ્રેષ્ઠ વાનગીઓનો સ્વાદ માણવા માટે આતુર રહે છે. હવે સુપર-હિટ ડિજિટલ…

Latest News