ફળ-શાકભાજીથી ખુબ ફાયદો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ફળફળાદી અને શાકભાજી યાદશક્તિને વધારી દેવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરે છે. અભ્યાસમાં આ બાબત સાબિત થઇ ચુકી છે. હાવર્ડ યુનિવર્સિટીના અભ્યાસમાં આ બાબત સપાટી પર આવી છે. જે પુરૂષો વૃદ્ધાવસ્થાથી ૨૦ વર્ષ પહેલા વધારે પ્રમાણમાં રંગીન શાકભાજી ખાય છે તેમનામાં યાદશક્તિ સાથે જોડાયેલી સમસ્યા ઓછી રહે છે.

ન્યુરોલોજી જર્નલમાં પ્રકાશિત કરવામા આવેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે જે લોકો શાકભાજી ઓછા પ્રમાણમાં આરોગે છે તેમનામાં ઓચી યાદશક્તિ રહે છે. ૫૧ વર્ષની વયના લોકોને આવરી લઇને કરવામાં આવેલા સર્વે અને અભ્યાસમાં આ મુજબની બાબત સપાટી પર આવી છે. નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આરોગ્યપ્રદ ચીજો ખાવાથી હાર્ટ સાથે સંબંધિત રોગોથી મૃત્યુ થવાની સંભાવના ઘટી જાય છે. કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ (સીવીડી)થી મોતની ટકાવારીમાં આનાં લીધે ઘટાડો થાય છે.

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આરોગ્યપ્રદ ચીજ-વસ્તુઓ અથવા તો શાકભાજીનો ઉપયોગ કરવામાં આવેતો સીવીડીથી મોતનો દર ઘટીને અડધો થઈ જાય છે. ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયકોલોજીનાં પ્રોફેસર સિમોન કેપવેલે કહ્યું છે કે, બિનઆરોગ્યપ્રદ ખાવાની ટેવ હમેંશા ખતરનાક સાબિત થાય છે. આનાં લીધે રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે. સીવીડી સામે લડવા માટે આરોગ્યપ્રદ ચીજ-વસ્તુઓ જરૂરી છે. વ્યક્તિગતો અને વસતીનાં સ્તરમાં સીવીડી સંબંધિત મોતને રોકવા હેલ્થી ઈટિંગની ટેવ રાખવી જોઈએ. યુનિવર્સિટી ઓફ લિવરપુલ દ્વારા કરવામાં આવેલાં અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પોષક તત્વો વગરના ભોજનથી સીવીડીનો ખતરો વધે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વધારે પ્રમાણમાં ફળફળાદિ, શાકભાજી ખાવાથી બિમારી દૂર થાય છે. ડાયટને સંતુલિત રાખવામાં આવે તેવી રજૂઆત પણ આમાં કરવામાં આવી છે. આ અભ્યાસનાં તારણો બ્રિટિશ મેડિકલ જનરલમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, ફળફળાદી, શાકભાજી વધારે પ્રમાણમાં ખાનાર વ્યક્તિમાં વૈશ્વિક સ્તરે સીવીડીથી મોતનો આંકડો ૨.૬ મિલિયન જેટલો ઘટી જાય છે.

Share This Article