હિંદુ ધર્મમાં ફાગણ મહિનાની પૂર્ણિમાએ ઉજવાતો હોળીનો તહેવાર અત્યંત પવિત્ર અને આધ્યાત્મિક માનવામાં આવે છે. ફાગણ મહિનામાં આવતો આ તહેવાર માત્ર રંગોનો જ નહીં, પરંતુ જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોના પ્રભાવથી જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો શુભ સમય પણ છે. જાણિતા જ્યોતિષી કૃષ્ણ કમલનાથના જણાવ્યા અનુસાર, હોળી 2026ના અવસર પર પાંચ શક્તિશાળી રાજયોગો બની રહ્યા છે. આ યોગો અનેક રાશિઓના જીવન પર મહત્વપૂર્ણ અસર કરશે.
હોળી પર બનતા રાજયોગો
માલવ્ય રાજયોગ
બુધાદિત્ય યોગ
શુક્રાદિત્ય યોગ
લક્ષ્મી-નારાયણ યોગ
ધનશક્તિ યોગ
જ્યોતિષ અનુસાર, જ્યારે શુક્ર, બુધ અને સૂર્ય જેવા મુખ્ય ગ્રહો ત્રિકોણમાં મજબૂત સ્થિતિમાં હોય ત્યારે આવા મહારાજયોગો બને છે. માન્યતા છે કે આ યોગોના પ્રભાવથી ધન, સંપત્તિ, પદ, પ્રતિષ્ઠા અને નવા અવસર પ્રાપ્ત થાય છે. જોકે આ રાજયોગ તમામ બાર રાશિઓ પર અસર કરશે, પરંતુ ચાર રાશિઓને વિશેષ શુભ ફળ મળશે — વૃષભ, મિથુન, સિંહ અને તુલા.
વૃષભ રાશિ
વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે. આ વખતે શુક્રની મજબૂત સ્થિતિને કારણે માલવ્ય રાજયોગ બની રહ્યો છે.
આવકના સ્ત્રોતોમાં વધારો
પરિવારમાં શુભ સમાચાર
નવી સંપત્તિ અથવા વાહન ખરીદવાની સંભાવના
આર્થિક સ્થિતિ મજબૂત બનશે
મિથુન રાશિ
મિથુન રાશિનો સ્વામી બુધ છે. બુધાદિત્ય અને લક્ષ્મી-નારાયણ યોગનો સકારાત્મક પ્રભાવ આ રાશિને શુભ ફળ આપશે.
સમજદારી અને નિર્ણયક્ષમતામાં વધારો
આત્મવિશ્વાસ વધશે
નોકરીમાં પ્રમોશનની સંભાવના
ભાગીદારીમાં લાભ
આર્થિક પ્રગતિ
સિંહ રાશિ
સિંહ રાશિ પર શુક્રાદિત્ય અને બુધાદિત્ય યોગનો સારો પ્રભાવ રહેશે.
સમાજમાં માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો
નેતૃત્વ ક્ષમતા મજબૂત બનશે
સરકારી અને પ્રશાસનિક ક્ષેત્રમાં સફળતા
નવા કાર્યોની શરૂઆત અને ખ્યાતિ પ્રાપ્ત થશે
તુલા રાશિ
શુક્રના પ્રભાવવાળી તુલા રાશિને માલવ્ય અને લક્ષ્મી-નારાયણ યોગનો વિશેષ લાભ મળશે.
આર્થિક સ્થિરતા વધશે
કલા, બ્યુટી, ફેશન અને સર્જનાત્મક ક્ષેત્રમાં લાભ
ખર્ચ પર નિયંત્રણ અને બચતમાં વધારો
દાંપત્ય જીવન સુખમય રહેશે
હોળી 2026ના અવસર પર બની રહેલા આ પાંચ રાજયોગ અનેક લોકો માટે નવી આશા અને સકારાત્મક પરિવર્તન લઈને આવશે.
