Vastu For Roti: સામાન્ય રીતે ઘરમાં જેટલા લોકો ખાવાના હોય એટલી જ રોટલી બનાવવામાં આવે છે. વિચાર એવો હોય છે કે ન ઓછી પડે અને ન વધુ બચે. દેખાવમાં આ રીત સમજદારીભરી લાગે છે, પરંતુ વાસ્તુ માન્યતાઓ અનુસાર તેને યોગ્ય માનવામાં આવતું નથી. જાણકારો કહે છે કે અન્ન સાથે જોડાયેલી નાની-નાની આદતો પણ ઘરની સમૃદ્ધિ અને વાતાવરણ પર અસર કરે છે.
કેમ ગણીને ન બનાવવી જોઈએ રોટલી?
વાસ્તુ મુજબ, જ્યારે આપણે રોટલી ગણતરી કરીને બનાવીએ છીએ ત્યારે તે અભાવની માનસિકતા દર્શાવે છે. માન્યતા છે કે અન્નને ગણવું સમૃદ્ધિની દેવી અન્નપૂર્ણા અને ધનની દેવી લક્ષ્મી પ્રત્યે અનાદર સમાન છે. એવું માનવામાં આવે છે કે રસોડામાં વારંવાર અભાવની ભાવના રાખવામાં આવે તો ધીમે-ધીમે ઘરમાં આર્થિક તંગી અનુભવાય છે. આવક ઓછી લાગવા લાગે છે, ખર્ચ વધતો જણાય છે અને બચત ટકતી નથી.
શું અસર થઈ શકે?
કહેવામાં આવે છે કે રોટલી ગણીને બનાવવાથી અથવા પીરસવાથી ઘરની સકારાત્મક ઊર્જા ઘટી શકે છે. નાની-મોટી બાબતો પર મતભેદ અને મનદુઃખ વધી શકે છે. ક્યારેક બિનજરૂરી તણાવનું વાતાવરણ પણ ઊભું થઈ શકે છે. પરિવારના સભ્યો વચ્ચે સુમેળ પર અસર પડી શકે છે. ઉપરાંત, અન્નનુ માન ન રાખવાથી ભોજનની બરબાદી વધે છે, જે શુભ મનાતું નથી.
શું કરવું જોઈએ?
માન્યતા મુજબ હંમેશા એક-બે રોટલી વધુ બનાવી લેવી જોઈએ. ભોજન બનાવતી વખતે મન શાંત અને પ્રસન્ન રાખવું જોઈએ, કારણ કે કહેવાય છે કે રસોડાની ઊર્જા સમગ્ર ઘરમાં ફેલાય છે. જો રોટલી બચી જાય તો તેને ફેંકવાને બદલે જરૂરિયાતમંદ વ્યક્તિ અથવા પશુને આપવી શુભ માનવામાં આવે છે. પરંપરા મુજબ પહેલી રોટલી ગાયને ખવડાવવી શુભ માનવામાં આવે છે, જેથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ ટકીને રહે.
