• Latest
  • Trending

માનસ સમજવા શ્રદ્ધા,સાધુ સંગ,પરમાત્મામાં પ્રેમ જરૂરી છે

2 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Monday, March 30, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

માનસ સમજવા શ્રદ્ધા,સાધુ સંગ,પરમાત્મામાં પ્રેમ જરૂરી છે

KhabarPatri News by KhabarPatri News
October 3, 2023
in News, ઇવેન્ટ, ગુજરાત, ધાર્મિક, વિશેષ
0

કબીર આશ્રમ મોરબીથી પ્રવાહિત રામકથાના બીજા દિવસના પ્રારંભ પહેલા રાષ્ટ્રપ્રીતિ,રાષ્ટ્રનીતિ માટે એક મહત્વનો કાર્યક્રમ જાહેર થયેલો.આજે સવારે સ્વચ્છતા અભિયાન હતું અને એ કાર્યક્રમ અંતર્ગત તલગાજરડી વ્યાસપીઠ હંમેશ પહેલ કરતી આવી છે.આજે બાપુએ કથાના સમયને સહેજ આડા-અવળો કરીને હાથમાં સાવરણો લઈ અને સંતો,મહંતો અને રાજનેતાઓને સાથે રાખીને દિલથી મનથી કબીર આશ્રમમાં પોણો કલાક સુધી સફાઈ અભિયાન અને શ્રમદાન કર્યું.

એ પછી કથા આરંભ કરતા બાપુએ જણાવ્યું કે અહીં બીજપંક્તિ રૂપે બે દોહા લીધેલા છે.એક દોહામાં ત્રણ વસ્તુ કહી છે:એક માનસ એટલે હિમાલયનું માનસરોવર,બીજું આપણા ઘરમાં,ઘટમાં રહેલી માનસપોથી અને ત્રીજું માનસ એટલે હૃદય આ ત્રણેયને સમજવામાં આપણને અગમતા પડે છે. તેને સમજવા માટે શ્રદ્ધા,સાધુનો સંગ અને પરમાત્મા તરફનો પ્રેમ જરૂરી છે.માનસ સમજવા શ્રદ્ધા,સાધુ સંગ,પરમાત્મામાં પ્રેમ જરૂરી છે.

રાજસિ શ્રદ્ધા એને કહેવાય જેમાં શ્રદ્ધા તો હોય,પણ ડોલી જતી હોય,ક્યારેક અહીં,ક્યારેક ત્યાં.રજોગુણ સ્થિર ન થવા દે.સાત્વિક શ્રદ્ધાને તુલસીજીએ ગાયનું રૂપ આપ્યું છે.ગામડામાં ઘણી ગાય એવી હોય છે પ્લાસ્ટિક ખાય,ન ખાવા જેવી વસ્તુમાં પણ માથું મારે.માણસના જીવનમાં આટલી વસ્તુ એક હોવી જોઈએ:પંથ એક હોવો જોઈએ.ઘણા લોકો કબીર પંથે ચાલે છે.એ માર્ગ પકડ્યા પછી કોઈ બીજાના માર્ગની નિંદા નથી કરતા.ઘણી શ્રદ્ધા તમોગુણી હોય છે.આવી શ્રદ્ધાને કારણે લોકો લડતા હોય છે.અમુક ગાયો દીવાલમાં શિંગડુ ઠોક્યા જ કરે છે.દિવાલ એની સુરક્ષા માટે છે.છતાં અકારણ શીંગડા મારે છે.  કબીર સાહેબે એવા જ એક કાળે નિદાન કરેલું અને ખુલ્લીને સમાજમાં આવેલા.તંત્રની સાધના કરનારા પણ ક્યારેક તામસી ઉપાસક દેખાય છે.સાત્વિક શ્રદ્ધા એ રૂપાળી ગાય છે.આપણને ગમે છતાંય અંતે આપણે ત્રણેય ગુણોની શ્રદ્ધાથી બહાર નીકળવું રહ્યું.જેને ગુણાતિત શ્રદ્ધા કહે છે.એ શ્રદ્ધા જેનામાં નથી એના માટે માનસ અગમ છે.જેમ યાત્રા કરીએ તો ભાથું જોઈએ.સારો સંગાથ જોઈએ. સાધુનો સંગ જરૂરી.સાધુની અનેક વ્યાખ્યાઓ થઈ છે.રામ પણ વ્યાખ્યા કરતા થાકી ગયા.અરણ્યકાંડની સમાપ્તિમાં એક છંદ વખતે રામ કહે છે કે સાધુના જેટલા લક્ષણો છે એને સરસ્વતી અને શેષનારાયણ પણ વર્ણન ન કરી શકે.સાધુમાં પણ રજોગુણ હોય છે,આ આલોચના નથી.ભજન ચૂકી જાય એટલી પ્રવૃત્તિ કરે.ભજનના ભોગે કોઈ પ્રવૃત્તિ ન થવી જોઈએ.આજે આ સ્વચ્છતા કાર્યક્રમ કર્યો પણ મારો મૂળ કાર્યક્રમ તો માનસનું ગાન છે હું સમાજની આંતર બાહ્ય સ્વચ્છતા જન્મોથી કરતો આવ્યો છું.સાધુ ભજન કરે એ જ સમાજની મોટી સેવા છે.  ઘણા સાધુ અત્યંત સાત્વિક,સૌમ્ય,શાંત હોય છે.જે માણસ શાંત હોય એના વર્ણમાં ફેર પડે છે એમ યોગશાસ્ત્ર કહે છે. ઘણા સાધુ તમોગુણી હોય છે,વાંધાઓમાં જિંદગી કાઢી નાખે છે.પણ ગુણાતિત સાધુ જરૂરી છે.ગુણનો એક અર્થ થાય છે દોરડું-રાશ.આપણને ગુણાતિત સાધુનો સંગ જરૂરી છે.તો માનસ સુગમ પડે છે.

તુલસીજી કહે છે પ્રભુ તરફનો પ્રેમ પણ ગુણાતિત હોવો જોઈએ આથી સાધુ શ્રદ્ધા અને પ્રેમ ગુણાતીત હોવા જોઈએ.જેનું ચિત્ સમાન છે.ચિત્તના બે લક્ષણો કહ્ય છે:સરળ ચિત્ અને સમાન ચિત્ત.બધા જ એને છેતરી જાય પણ એમાં સાધુને કંઈ ગુમાવવાનું ન હોય.એટલી નિર્દોષતા કે સ્વાભાવિક નિર્દોષ બ્રહ્મને પણ ઈર્ષા થાય.રામાયણમાં લખ્યું છે જે વિરોધ કરે એની ઘરે જાવું નહીં.પણ સમાન ચિત્ત સાધુ વિરોધીના ઘરે પણ ઉભો રહે છે,એ સમય આવ્યે જ સમજાશે.

કથા પ્રવાહમાં હનુમંત વંદનામાં શરીરમાં પંચપ્રાણ:વ્યાન,ઉદાન,અપાન,સમાન વગેરે હોય છે જે સમ હોવા જોઈએ.રામચરિત માનસમાં સીતા, લક્ષ્મણ,રીંછ-વાંદરાઓ,સુગ્રીવ અને ભરત-આ પાંચેયના પ્રાણની રક્ષા હનુમાનજીએ કરેલી છે. રામચરિત માનસના પંચપ્રાણના રક્ષક હનુમાનજી છે લોક સાહિત્યકાર કહે છે:

દિ’ વાળે કાં દીકરા,કાં ધોરી કાં ધરા;

કાં તો વણનાં જીંડવાં,નકર ઝાકળિયાં ખરાં

એટલે તલ અથવા તો જે ઝાકળમાં જ પાકી જાય એ ચણા-એવું લોકસાહિત્યકાર દ્વારા કહેવામાં આવે છે.કથા દરમિયાન આવતીકાલે રાષ્ટ્ર જેના જન્મ ઉત્સવ ઉજવે છે એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને આપણા પૂર્વ લોકપ્રિય વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના જન્મદિવસની આગોતરી વધાઈ સૌને બાપુએ વ્યાસપીઠ પરથી આપી.

આજે વ્યાસવંદના કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કથામાં વિશેષ ઉપસ્થિત રહી અને કથા શ્રવણ કર્યું હતું.કથાના અંતે સરલચિત મુખ્યમંત્રીએ પોતાનો ભાવ વ્યક્ત કરી દિવંગતોને શ્રધ્ધાસુમન વ્યક્ત કરી બાપુ પાસે આશીર્વચન લીધા.

ભાણદેવજીએ લખેલા ‘મહાભારત’પુસ્તકનું બાપુ અને મુખ્યમંત્રીશ્રીનાં હસ્તે લોકાર્પણ થયું.

Previous Post

આઇલિડ 30મી સપ્ટેમ્બર 2023ના રોજ અમદાવાદ ખાતે “નો મોર ગ્રો મોર (KNOW MORE GROW MORE)” ઇવેન્ટનું આયોજન કરાયું

Next Post

AIRTELના નેટવર્કમાં 50 મિલિયન અજોડ ગ્રાહકો જોડાતાં 5Gમાં નોંધપાત્ર વૃદ્ધિ

Next Post

AIRTELના નેટવર્કમાં 50 મિલિયન અજોડ ગ્રાહકો જોડાતાં 5Gમાં નોંધપાત્ર વૃદ્ધિ

TAJ ગાંધીનગર રિસોર્ટ એન્ડ સ્પા ઘ્વારા 700 કિલો કચરો એકત્ર કરી સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri