પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે સાઉથ આફ્રિકામાં ગેસ લીકેજ થતાં ૧૬ લોકોનાં દુઃખદ અવસાન થયાં હતાં. પુજ્ય મોરારિબાપુ તરફથી આ ઘટનામાં માર્યા ગયેલાઓને પ્રત્યેકના પરિવારજનોને રુપિયા પંદર હજાર લેખે સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે. કુલ મળીને રુપિયા બે લાખ ચાલીસ હજારની સહાય અર્પણ કરવામાં આવી છે જે સાઉથ આફ્રિકાનાં ચલણમાં પરિવર્તિત કરી આપવામાં આવશે. ઝેરી નાઈટ્રેટ ગેસ લીકેજ થતાં માર્યા ગયેલાઓમાં ત્રણ બાળકનો પણ સમાવેશ થાય છે. આ દુઃખદ ઘટનમાં માર્યા ગયેલા લોકોનાં નિર્વાણ માટે પુજય બાપુએ પ્રાર્થના કરી છે અને તમામ મૃતકોના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.
સાઉથ આફ્રિકા સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા સહાયતા રાશિ પહોંચાડવામાં આવી રહી છે.
આનંદ પંડિત અને વૈશલ શાહની નવી ગુજરાતી ફિલ્મ – ફક્ત પુરુષો માટે
વર્ષ 2022 અને 2023 માં અનુક્રમે કૌટુંબિક મનોરંજક ફિલ્મો 'ફક્ત મહિલા માટે' અને 'ત્રણ એક્કા' ની જબરજસ્ત સફળતા બાદ નિર્માતા...
Read more