કોલકાતા હાઈકોર્ટે પરેશ રાવલની બંગાળીઓ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીમાં FIR રદ કરી

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

કોલકાતા હાઈકોર્ટે સોમવારે અભિનેતા પરેશ રાવલ સામે ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી-માર્કસિસ્ટ ના પશ્ચિમ બંગાળ એકમના સચિવ મોહમ્મદ સલીમ દ્વારા દાખલ કરવામાં આવેલી FIR રદ કરી હતી. આ FIRમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, પદ્મશ્રી પુરસ્કાર વિજેતા રાવલે બંગાળી સમુદાય વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, રાવલે, જેમણે FIRને રદ કરવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી, તે પહેલાથી જ સ્પષ્ટતા આપી ચૂકી છે અને સંબંધિત ટિપ્પણી માટે માફી માંગી ચૂકી છે. જસ્ટિસ રાજશેખર મંથાએ મામલાના તમામ પાસાઓ પર વિચાર કર્યા પછી FIR રદ કરી અને કહ્યું કે, આગળની કાર્યવાહી ચાલુ રાખવી તે યોગ્ય નથી.

ભારતીય જનતા પાર્ટી ના ભૂતપૂર્વ સાંસદ રાવલે તેમની અરજીમાં કહ્યું હતું કે, ગયા વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન ૨૯ નવેમ્બરે ગુજરાતી ભાષામાં તેમના ભાષણનું રાજકીય વેર માટે ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હતું અને તેનો અનુવાદ કરવામાં આવ્યો હતો. રાવલે કહ્યું કે, તેમણે તેમના નિવેદનની સ્પષ્ટતા કરી હતી અને ૨ ડિસેમ્બરે માફી માંગી હતી, તે જ તારીખે સલીમે કોલકાતાના તાલતલા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી.

Share This Article