લાલુ યાદવ અને રાબડી દેવીને લાંબા સમયથી ઘરમાં તમામની સાથે વ્યવસ્થિત રીતે રહી શકે અને પરિવારને સાચવી શકે તે પ્રકારની પુત્રવધુની જરૂર હતી અને તેમની જરૂર બિહારના પૂર્વ પ્રધાન દરોગા પ્રસાદ રાયની પૌત્રી ઐશ્વર્યા રાયની ઉપર આવીને ખતમ થઈ હતી. ઐશ્વર્યાએ એમેટી યુનિવર્સિટીમાંથી એમબીએમાં શિક્ષણ મેળવ્યું હતું. ઐશ્વર્યાના પિતા આરજેડી નેતા ચંદ્રિકા રાય નીતિશ કુમારની સરકારમાં પરિવહન પ્રધાન તરીકે રહી ચુક્યા છે. ઐશ્વર્યા રાય છપરાની નિવાસી છે. પટણાના નાટ›ડમ સ્કુલમાં અભ્યાસ કરી ચુકી છે. દિલ્હીમાં મિરાંડા હાઉસથી ગ્રેજ્યુએશન કરનાર ઐશ્વર્યા ત્રણ ભાઈ બહેનોમાં સૌથી મોટી છે.
આનંદ પંડિત અને વૈશલ શાહની નવી ગુજરાતી ફિલ્મ – ફક્ત પુરુષો માટે
વર્ષ 2022 અને 2023 માં અનુક્રમે કૌટુંબિક મનોરંજક ફિલ્મો 'ફક્ત મહિલા માટે' અને 'ત્રણ એક્કા' ની જબરજસ્ત સફળતા બાદ નિર્માતા...
Read more