મિથુનના દિકરા પર બળાત્કારનો આરોપ

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

બોલિવુડના ડાન્સિંગ એક્ટર મિથુન ચક્રવતીને આખુ ભારત ઓળખે છે. તેમણે બોલિવુડમાં ડાન્સનો એક અલગ જ મહિમા ઉભો કર્યો હતો. તેમણે પોતાના માટે ઇજ્જત ઉભી કરી છે. તેમના દિકરા મહાક્ષય ઉપર બળાત્કારનો આરોપ છે. મહાક્ષયના લગ્ન શીલા શર્મા અને સુભાષ શર્માની દીકરી મદાલસા શર્મા સાથે 7 જુલાઇના રોજ થવાના છે. શીલા શર્માએ રાજશ્રી પ્રોડક્શનની હિટ ફિલ્મ નદિયા કે પાર અને યસ બોસ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે.

માતાના પગલે મદાલસાએ પણ ગણેશ આચાર્યના પ્રોડક્શનમાં એંજલ નામની ફિલ્મ કરી હતી. મદાલસાએ પોતાના કરિયરની શરૂઆત 2009માં તેલુગુ ફિલ્મ ફિટિંગથી કરી હતી. જેમાં તેના કામને ખૂબ વખાણવામાં આવ્યુ હતુ. મિથુન ચક્રવતીએ યોગીતા બાલી સાથે લગ્ન કર્યા હતા અને મિથુનને 3 દિકરા પણ છે.

મહાક્ષય પર બળાત્કારનો આરોપ છે. જેમાં તેની માતા યોગીતા બાલીનું નામ પણ સામેલ છે. હવે આખો મામલો શું છે. તે સમય જતાં જ ખબર પડશે. પોલીસ ઇન્વેસ્ટીગેશન બાદ જાણવા મળશે કે શું મહાક્ષય આરોપી છે કે નહી.

Share This Article