સાવધાન! ટ્રેનમાં આ વસ્તુ સાથે રાખવી પડી શકે છે ભારે, દંડ સાથે થઈ શકે છે જેલ

Rudra
3 Min Read

ટ્રેનમાં મુસાફરી કરવાનો પોતાનો એક અલગ જ આનંદ હોય છે. ગરમાગરમ ચાની ચુસ્કી સાથે બહારના સુંદર દૃશ્યો માણવા, અજાણ્યા મુસાફરો સાથે મિત્રતા કરવા અને દરેક સ્ટેશન સાથે બદલાતી ભાષા અને સંસ્કૃતિને અનુભવવી એ ભારતીય રેલવેની વિશેષતા છે. ભારતીય રેલવે કરોડો લોકોના જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે.

ટ્રેનમાં મુસાફરીના નિયમો સામાન્ય રીતે સરળ હોય છે, તેથી ઘણી વખત લોકો જરૂરી-બિનજરૂરી તમામ વસ્તુઓ સાથે લઈ જતા હોય છે. પરંતુ અન્ય પરિવહન માધ્યમોની જેમ ભારતીય રેલવેમાં પણ કેટલીક વસ્તુઓ લઈ જવા પર કડક પ્રતિબંધ છે. જો કોઈ મુસાફર આ નિયમોનું ઉલ્લંઘન કરે તો તેને દંડ અથવા જેલની સજા પણ થઈ શકે છે.

જ્વલનશીલ અને વિસ્ફોટક વસ્તુઓ પર પ્રતિબંધ

ભારતીય રેલવેમાં મુસાફરી દરમિયાન નીચેની જ્વલનશીલ અથવા વિસ્ફોટક વસ્તુઓ સાથે લઈ જવાની મંજૂરી નથી:

* પેટ્રોલ
* ડીઝલ
* કેરોસીન
* થિનર
* ફટાકડા
* ગેસ સિલિન્ડર
* ગન પાઉડર
* કપૂર
* દીવાસળી (મેચબોક્સ)

ટ્રેનમાં આગ લાગવાના જોખમને ટાળવા માટે આ વસ્તુઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ વસ્તુઓ પણ ટ્રેનમાં લઈ જઈ શકાતા નથી

સહ-મુસાફરોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને કેટલીક અન્ય વસ્તુઓ પર પણ પ્રતિબંધ છે, જેમ કે:

* એસિડ
* ઝેરી રસાયણો
* ઔદ્યોગિક કેમિકલ્સ
* સફાઈ માટે વપરાતા એસિડ
* કીટનાશકો
* તીવ્ર સોલ્વન્ટ્સ

આ ઉપરાંત એવી વસ્તુઓ કે જે જોખમી તો ન હોય પરંતુ અન્ય મુસાફરો માટે અસુવિધા ઉભી કરી શકે છે, તે પણ ટ્રેનમાં લઈ જવાની મનાઈ છે.

જેમ કે:

* પેકિંગ વગરનું માંસ અથવા માછલી
* પ્રાણીઓની ભીની ચામડી
* દુર્ગંધ ફેલાવતી વસ્તુઓ

આવી વસ્તુઓ અન્ય મુસાફરોને અસહજતા પહોંચાડી શકે છે.

ભારે અને મોટા કદના સામાન માટે પણ નિયમો

મુસાફરોને પેસેન્જર કોચમાં એટલો જ સામાન લઈ જવાની મંજૂરી છે, જે સરળતાથી લગેજ રેક અથવા સીટની નીચે સમાઈ શકે.

થોક માલ અથવા વ્યાવસાયિક (કોમર્શિયલ) સામાનને વ્યક્તિગત લગેજ તરીકે લઈ જવાની મંજૂરી નથી. આવા માલ માટે રેલવેના પાર્સલ વિભાગ મારફતે અલગથી બુકિંગ કરાવવું પડે છે.

વિવિધ શ્રેણીમાં લગેજ મર્યાદા

સ્લીપર ક્લાસ: 40 કિલોગ્રામ સુધી
એસી 3-ટાયર / એસી 2-ટાયર: 40 થી 50 કિલોગ્રામ સુધી
એસી ફર્સ્ટ ક્લાસ: 70 કિલોગ્રામ સુધી

નક્કી મર્યાદાથી વધુ વજનનું સામાન હોય તો મુસાફરે વધારાનો ચાર્જ ચૂકવવો પડે છે.

નિયમોનું પાલન કરવું જરૂરી

ભારતીય રેલવે મુસાફરોની સુરક્ષા અને સુવિધા માટે આ નિયમો બનાવે છે. તેથી ટ્રેનમાં મુસાફરી કરતા પહેલાં કઈ વસ્તુઓ લઈ જઈ શકાય અને કઈ નહીં તેની જાણકારી રાખવી જરૂરી છે, જેથી મુસાફરી દરમિયાન કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

Share This Article