ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં પ્રાકૃતિક આપદાના પીડિતોને મોરારિબાપુની ₹4 લાખ સંવેદના સહાય

Rudra
1 Min Read

દેશના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ, વાવાઝોડા, પૂર અને વીજળી પડવાની ઘટનાઓને કારણે અનેક લોકોના જીવ ગયા છે. ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા રાજ્યોમાં સર્જાયેલી આ પ્રાકૃતિક આપદાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં કથાકાર મોરારિબાપુ દ્વારા કુલ ₹4 લાખની સહાય અર્પણ કરવામાં આવી છે.

ચિત્રકૂટ ધામ તલગાજરડા તરફથી આપવામાં આવેલી આ સંવેદના સહાય સંબંધિત રાજ્યોના મુખ્યમંત્રી રાહત ભંડોળમાં મોકલવામાં આવી છે. સહાય હેઠળ ઉત્તરપ્રદેશ માટે ₹2 લાખ, પશ્ચિમ બંગાળ માટે ₹1 લાખ અને બિહાર માટે ₹1 લાખની રકમ ફાળવવામાં આવી છે.

મોરારિબાપુએ પ્રાકૃતિક આપદાઓમાં જીવ ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી તેમજ તેમના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે પ્રાર્થના કરી હતી કે ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે.

ઉલ્લેખનીય છે કે દેશના અનેક ભાગોમાં છેલ્લા પખવાડિયા દરમિયાન ભારે વરસાદ, પૂર અને વીજળી પડવાની ઘટનાઓને કારણે જાનહાનિ નોંધાઈ છે. આવી વિકટ પરિસ્થિતિમાં મોરારિબાપુ દ્વારા આપવામાં આવેલી આ સહાય માનવતા અને સંવેદનાનું ઉદાહરણ બની છે.

Share This Article