• Latest
  • Trending

સદગુરુના સ્વધર્મ અને સ્વરૂપ માટે માટી બનવું પડે છે

1 week ago

પીએમ મોદીની વિરુધ પોસ્ટર લગાવનાર ૬ લોકોની ધરપકડ, ૧૦૦ થી વધારે લોકો પર એફઆઇઆર

12 hours ago

મમતા બેનર્જી ઇચ્છતા નથી કે ભાજપ ફરીથી સત્તામાં ન આવે : ટીએમસી સાંસદ સુષ્મિતાદેવ

12 hours ago

હિમાચલમાં ૨૩ માર્ચથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચશે, વરસાદ પડે તેવી સંભાવના : હવામાન વિભાગ

12 hours ago

૧૦માં ૨ વાર ફેલ, ફાડ્યો નોકરીનો કોલ લેટર, ક્રિકેટમાં કિસ્મત ચમકી, ઓલરાઉન્ડર વિષે જાણો

12 hours ago

ગેંગ્સ્ટર લોરેન્સ બિશ્નોઈની ધમકીથી નથી ડરતો સલમાન ખાન, કડક સુરક્ષા સામે ઉઠાવ્યો વાંધો

12 hours ago

એરપોર્ટમાં ચેકિંગ વિના જ ઘુસી ગયો કરણ જૌહર, પછી એરપોર્ટ સિક્યોરિટીએ કર્યુ એવું કે…

12 hours ago

કાશીમાં ખાસ અંદાજમાં નવા વર્ષનું આગમન, સૂર્ય નમસ્કાર સાથે વિશ્વશાંતિની પ્રાર્થના

14 hours ago

ફેસબુક પરની મિત્રતા-પ્રેમ કોઈને ભારે પડી શકે તે ખબર પણ નહીં હોય. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના જાલૌનથી સામે આવ્યો

14 hours ago

પટના સ્ટેશનની ‘અશ્લીલ ગૂંજ’ અમેરિકા સુધી પહોંચી, અભિનેત્રીએ આપી પ્રતિક્રિયા

14 hours ago

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભૂકંપ આંચકા અનુભવાયા, તીવ્રતા ૬.૬ની નોંધાઇ

14 hours ago

પાકિસ્તાનમાં પણ મોડી રાતે ભૂકંપના આંચકા અનુભવાયા, અત્યાર સુધીમાં ૯ લોકોના મોત અને ૧૦૦થી વધુ ઘાયલ થયા

14 hours ago

ભારતીય કફ સીરપથી ઉઝબેકિસ્તાનમાં ૧૮ બાળકોના મોત!.. કંપનીનું લાઇસન્સ થયું રદ

14 hours ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Friday, March 24, 2023
Khabarpatri
ADVERTISEMENT
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result
ADVERTISEMENT

સદગુરુના સ્વધર્મ અને સ્વરૂપ માટે માટી બનવું પડે છે

KhabarPatri News by KhabarPatri News
March 16, 2023
in ધાર્મિક, ભારત
0
Share on FacebookShare on Twitter

સદગુરુ રણછોડદાસજી મહારાજની ભૂમિ ઉપરથી પ્રવાહિત રામકથાના છઠ્ઠા દિવસે બાપુએ કહ્યું કે ગુરુનો સ્વભાવ,સ્વરૂપ,સ્વધામ સ્વધર્મ વિશે સંવાદ કરીએ છીએ.આપણે જોયું કે માટી કંઈ બોલતી નથી સદગુરુની પ્રાપ્તિ માટે માટી થઈ જવું.પણ કઈ રીતે માટી બનીશું?કેવી રીતે સદગુરુના ચરણની રજ બની શકીશું? ત્રણ વસ્તુથી માટી થઈ શકાય છે.આ સ્થૂળ રૂપમાં માટે નહીં પણ સૂક્ષ્મ રૂપમાં માટી થવાની વાત છે.આપણે સદગુરુ વિશે કેવી રીતે કહી શકીશું એના વિશે કંઈ જાણતા નથી?છતાં પણ તદપિ કહું રહા ન જાય… માટી બનવા માટે આશ્રિતે પોતાને પૂરેપૂરો ખોલવો પડશે, પૂર્ણત: આત્મનિવેદન કરવું પડશે.તુલસીજીના ગુરુ-રતનાવલી પણ ગુરુ છે- નરહરી મહારાજ અને રામચરિત માનસમાં તુલસીજી આત્મનિવેદન કરે છે.એ કહે છે:કરતબ બાયસ,બેસ મરાલા-જે વેદમતને છોડી કપટ અને કળિયુગના ભંડારોથી ભરેલો છે,જે રામ ભગત પોતાને કહેડાવે છે પરંતુ પૈસા,કોહ-એટલે કે ક્રોધ અને કામનો કીંકર-દાસ છે,જે વેશમાં હંસ પરંતુ કરતાબમાં કાગડો છે,જે ભગવાનનો છળકપટ ભરેલો ભગત છે,અસલી નથી, લુચ્ચો છે,આવા લોકોમાં મારો પ્રથમ નંબર આવે છે એવું આત્માનિવેદન તુલસીજી પ્રારંભમાં કરે છે.એ કહે છે કે ધર્મની ધજા લઈ અને દાંભિક બનીને હું ઘૂમિ રહ્યો છું.જો હું મારા અવગુણ કહેવા માગું તો કથાનો પાર ન આવે એટલે પ્રાર્થના કરું કે સયાના-સમજુ-સજ્જન માણસો થોડામાં પણ બધું જાણી જશે.રામકથાનું ગાયન,રામકથા વિશાળ છે\.સારદ,શેષ, મહેશ વિધિ-બ્રહ્મા અગમ નિગમ પુરાણ કોઈ એનો પાર પામી શકતો નથી.પરમ પરમાત્માના ગુણગાન ગાયકોમાં શ્રેષ્ઠ જે સાત છે એ પણ નેતિ-નેતિ કરીને અટકી જાય છે. તો પણ કહ્યા વગર રહી શકાતું નથી! આ માટી બનવાની તૈયારી છે. માટી બનવાનો એક અર્થ છે: ધીરજ રાખો. ધરતીનું લક્ષણ ધૈર્ય છે અને એક જનમમાં ઘટના ન પણ ઘટે. પણ એ પ્રશ્ન ક્યારેય ન થવો જોઈએ કે ક્યાં સુધી ધીરજ રાખવી? જ્યાં સુધી ઘટના ન ઘટે ત્યાં સુધી ધીરજ રાખો.સહન કરો.માટી બધાના પદ પ્રહારને સહન કરે છે અને ક્ષમા કરો.જ્યાં સુધી માટી બનશો સહન કરશો પ્રહાર થશે જ.સદગુરુના સ્વધર્મ અને સ્વરૂપ માટે માટી બનવું પડે છે અને માટી બનવા માટે ધૈર્ય સહનશીલતા અને ક્ષમા કરવી પડે છે. વિપત્તિ પડે ત્યારે વિશ્વાસ રાખો-એ જ એક સૂત્ર છે.
ગુરુનું સ્વધામ કિયું?પાદૂકા જ સ્વધામ છે.ભગવાન રામ અયોધ્યામાં રહ્યા અવધ એનું સ્વધામ હતું,જન્મ નહોતો થયો ત્યારે સાકેત સ્વભાવ હતું,ચિત્રકૂટમાં રહ્યા તો ચિત્રકૂટ,પંચવટી ગયા તો પ્રવર્ષણ પર્વત, લંકામાં સુમેરુ સ્વધામ બની ગયું.પરંતુ ભરતને પૂછો! ભરત કહેશે ભગવાનનું સ્વધામ એકમાત્ર પાદુકા છે. સદગુરુનું સ્વધામ તેની પાદુકા છે.જ્યાં પાદુકા હોય છે ત્યાં તેમને આવવું જ પડે છે.દરેક ક્ષેત્રમાં વિશ્વાસ ડગમગી જાય પણ વિપત્તિમાં વિશ્વાસ રહેવો જોઈએ.જ્યારે વિશ્વાસની જરૂરત છે ત્યારે એ ડગવો ન જોઈએ.શિવજીનું પહેલું સ્વરૂપ રામચરિત માનસમાં કહ્યું છે:અખંડ બોધ સ્વરૂપ.ગુરુ બોધ સ્વરૂપ છે.નિત્ય અખંડમંડલાકાર છે. રામચરિત માનસને સ્પર્શો તો શંકરના ચરણનો સ્પર્શ થયો. કારણ કે માનસ સ્વયમ શિવરૂપ છે.જેમ પાસપોર્ટ આધારકાર્ડ આઇડેન્ટિટી રાખો છો એ રીતે રામચરિત માનસ ને તમારી ઝોળીમાં રાખો.વાંચશો નહીં તો પણ વાંધો નહીં વિશ્વાસ વિપત્તિમાં આવશે.બેરખો નથી ફરતો?વાંધો નહીં બેરખો રાખો,એક દિવસ તમને ફેરવી નાખશે.બીજું સ્વરૂપ છે શાંતરસ વિગ્રહ ધારણ કરેલું હોય. રુદ્રાષ્ટકમાં પાંચ સ્વરૂપ છે: નિર્વાણ સ્વરૂપ-મોક્ષ સ્વરુપ.એ ખુદ મોક્ષ છે. વિભુરૂપ. ગુરુ વિભૂતિ નહીં વિભુ છે.કૃષ્ણ જગતગુરુ છે અને ગીતાના વિભૂતિયોગમાં અનેક વિભૂતિઓ કહીને કહે છે કે વિભૂતિઓનો અંત નથી જો વિભૂતિઓનો અંત નથી તો વિભૂનો અંત કેમ હશે! પાંચમું રૂપ વ્યાપક રૂપ છે.આનાથી વધારે વ્યાપક કંઈ નથી.ચરાચરમાં વ્યાપ્ત છે.છઠ્ઠું રૂપ બ્રહ્મસ્વરૂપ અને સાતમું સ્વરૂપ વેદ સ્વરૂપ છે.આજ નીજ રૂપ,આજ નિર્ગુણ સગુણ આજ આકાર નિરાકાર મૂળ આ સાત છે. રામચરિત માનસમાં વાલ્મિકી સદગુરુના સ્વરૂપને વચન અગોચર-વાણીથી પર કહે છે.શબ્દને સેવવો જોઈએ શબ્દને સેવો ત્યારે જ એમાં રસ,રૂપ,ગંધ અને સ્વાદ આવે છે.અધિકારીના હાથમાં શબ્દ શાસ્ત્ર બની જાય છે અનઅધિકારીના હાથમાં શસ્ત્ર બની જાય છે. સદગુરુનો સ્વધર્મ કયો? કોઈ તેની શરણમાં પહેલીવાર આવે તો પણ અપનાવી લે,પ્રાણીમાત્ર ભૂતમાત્રને અભય કરી દે,સાધુનું પરીત્રાણ કરે.
શિવચરિત્રની કથા બાદ સંક્ષિપ્તમાં રામ જન્મના કારણો કહી રામ પ્રાગટ્યનું મંગલ ગાન કરી સમગ્ર વિશ્વને રામજન્મની વધાઈ સાથે કથાને વિરામ અપાયો.
———————————–
*દ્રષ્ટાંત કથા*
એક ઇતિહાસ છે.૧૯૮૮ માં રશિયા જ્યારે સોવિયેત સંઘ હતું અને એનો એક હિસ્સો આર્મેન્યા હતો. સવારના ૧૧:૨૧ વાગ્યા અને ભયંકર ભૂકંપ થયો.૪૦-૫૦ હજાર માણસો તત્કાળ મરી ગયા, લાખો લોકો ઘાયલ થયા.જે શહેરને બનતા શતાબ્દી લાગે એક સેકન્ડમાં તબાહ થઈ ગયા.એ વખતે,ભુકંપની થોડી કલાક પહેલા,સેમ્યુઅલ નામનો એક રશિયન બાપ પોતાના દીકરા અરમદને સ્કૂલમાં છોડવા જાય છે અને એમ કહે છે કે હું તારી સાથે જ છું.એ કહીને નીકળે છે ને ભૂકંપ આવે છે.રેડિયો ઉપર સતત સમાચાર આવે છે.બચાવ કાર્ય શરૂ થાય છે સેમ્યુઅલ પણ દોડાદોડ કરીને એ સ્કૂલમાં આવે છે. પણ જુએ છે તો કાટમાળનો ઢગલો,કોઈ સલામત હોવાની સંભાવના નથી.બાળકોના મા બાપ મીણબત્તીઓ લઈ અને બેઠા છે.સેમ્યુઅલ પાગલ જેવો થઈ ગયો છે,અને માટી હટાવવા લાગી જાય છે બધા કહે છે કે આ પાગલપન છે કંઈ જ બચ્યું નથી, છતાં પણ હટાવે છે અને છેલ્લો પથ્થર હટાવી રહ્યો છે,એક અવાજ સંભળાય છે:પાપા.. પાપા.. પાપા.. અને એ પથ્થર હટાવે છે,એનો દીકરો જીવતો છે. દીકરો કહે છે કે મને પછી બચાવજો મારી સાથે બીજા ૧૪ બાળકો ડટાયા છે અને સેમ્યુઅલ એમાંથી ૯ બાળકોને જીવતા બચાવે છે.એ વખતે સેમ્યુઅલ તેના બાળકને પૂછે છે કે તારામાં આ કઈ રીતે આવ્યું? ત્યારે બાળક કહે છે કે જ્યારે હું ગૃહકાર્ય કરતો હતો અને આપે કહેલું કે વિપત્તિમાં વિશ્વાસ રાખજે.
*કથા શેર:*
*ગુરુ સામને હૈ?તો ઇશારા કરો;*
*ચલા ગયા?તો પુકારા કરો!*

Tags: Morari BapureligiousSadguruSoil
ShareTweetShareSendShare
Previous Post

તમિલનાડુના યુવાન શિવાસુર્યને આરંભી કાશ્મીરથી કન્યાકુમારી સુધીની 3620 કિલોમીટરની સાયકલયાત્રા શહેરા.

Next Post

કોવિડ-૧૯થી સંક્રમિત દર્દીઓમાં જોવા મળ્યો એક નવો પ્રકારનો રોગ, વૈજ્ઞાનિકોએ આ રોગનું ફેસ બ્લાઇંડનેસ નામ આપ્યું

Related Posts

પીએમ મોદીની વિરુધ પોસ્ટર લગાવનાર ૬ લોકોની ધરપકડ, ૧૦૦ થી વધારે લોકો પર એફઆઇઆર

by KhabarPatri News
March 23, 2023
0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ દેશની રાજધાની દિલ્હીમાં વિવાદિત પોસ્ટર લગાવનાર ૬ લોકો સામે પોલોીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે...

Read more

મમતા બેનર્જી ઇચ્છતા નથી કે ભાજપ ફરીથી સત્તામાં ન આવે : ટીએમસી સાંસદ સુષ્મિતાદેવ

by KhabarPatri News
March 23, 2023
0

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની લંડનમાં થયેલ નિવેદન પર વિવાદ અટકવાનું નામ લઇ રહ્યો નથી પરંતુ તૃણમૂલ કોંગ્રેસે આ મુદ્દા પર...

Read more

હિમાચલમાં ૨૩ માર્ચથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચશે, વરસાદ પડે તેવી સંભાવના : હવામાન વિભાગ

by KhabarPatri News
March 23, 2023
0

હવામાન વિભાગના જણાવ્યા મુજબ એક લેટેસ્ટ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ૨૩ માર્ચના રોજ હિમાલય ક્ષેત્રમાં પહોંચશે. જેના કારણે ૨૩ માર્ચથી ઉત્તર પશ્ચિમ...

Read more

૧૦માં ૨ વાર ફેલ, ફાડ્યો નોકરીનો કોલ લેટર, ક્રિકેટમાં કિસ્મત ચમકી, ઓલરાઉન્ડર વિષે જાણો

by KhabarPatri News
March 23, 2023
0

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ તેની કારકિર્દીમાં ઉંચાઈઓના શીખરો સ્પર્શ કર્યા છે. મોટો ભાઈ કૃણાલ પંડ્યા પણ નામ અને પ્રસિદ્ધિ કમાવામાં...

Read more

ગેંગ્સ્ટર લોરેન્સ બિશ્નોઈની ધમકીથી નથી ડરતો સલમાન ખાન, કડક સુરક્ષા સામે ઉઠાવ્યો વાંધો

by KhabarPatri News
March 23, 2023
0

બોલિવૂડના 'ભાઈજાન' હાલ ફિલ્મો નહીં પરંતુ અલગ જ કારણોથી ચર્ચામાં છે. સલમાન ખાનના જીવવને જોખમ જણાવવામાં આવી રહ્યુ છે. એક્ટરને...

Read more
Load More
Next Post

કોવિડ-૧૯થી સંક્રમિત દર્દીઓમાં જોવા મળ્યો એક નવો પ્રકારનો રોગ, વૈજ્ઞાનિકોએ આ રોગનું ફેસ બ્લાઇંડનેસ નામ આપ્યું

WHOના નવા રિપોર્ટ મુજબ, દુનિયાભરમાં દર વર્ષે લગભગ ૧૮,૯૦,૦૦૦ લોકો મોતને ભેટે છે વધુ મીઠું ખાવાના

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Currently Playing

Riya Subodh - MTV INTM Season 3 Winner Interview by Khabarpatri

Riya Subodh - MTV INTM Season 3 Winner Interview by Khabarpatri

00:10:03

Interview of Smt Parul Khakhhar by Kavijagat

00:05:58

NewKhabarpatri Exclusive જોબ ટિપ્સ જાણો રીક્રુટર તમારી પ્રોફાઈલ માં શું જોવે છે YouTube 360p

00:04:11

Kal ne kanto hato.......

00:02:41

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Weather

Ad

ADVERTISEMENT
  • Setup menu at Appearance » Menus and assign menu to Footer Navigation
Call us: +91 99251 19651

© 2015-2022 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય

© 2015-2022 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Login to your account below

Forgotten Password?

Fill the forms bellow to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In