મને ગર્વ છે કે હું એક ભારતીય છું

સુગંધ એજ છે મારા દેશ ની માટી ની જે બાપુ એ બનાવી હતી !.
આજે પણ અકબંધ છે તેની સુગંધ અને તેની શક્તિ !… 
ભારત માતા  ની શક્તિ ના લીધે જ લડી જાય છે સરહદ પર .
ભારત માતા ના શુરવીરો લોહી વહાવી જાય છે દેશ ની રક્ષા માટે !…
ગણ બધાં શુરવીરો લડી ગયા  આઝાદી અપાવી ગયા
ગણી લડતો લડાઈ , ગણું લોહી વહી ગયું। …… 
ગણી બધી માતા ના લાડકવાયા શહીદ થયા
છતાં પણ એ માતાઓ ને ગર્વ છે આજેપણ દીકરાઓ ની શહીદી પર 
કસુંબી ના રંગ માં રંગાઈ ગયો છે તે માતાઓ નો પ્રેમ !…
શહીદી લીધી છે જે જવાનો એ લાખ લાખ વંદન છે !… 
આવા શુરવીરો ને જેમને પોતાની જીંદગી દેશસેવા માં ત્યજી દીધી !….

ભારત દેશ જેવી પવિત્ર ભૂમિ પર જન્મ લેવો તે ખરેખર એક ગર્વ ની  વાત છે આ ભૂમિ પર ધાર્મિક આસ્થા નું ઘણું જ મહત્વ છે પરંતુ આ મહત્વ ત્યારે જ વધ્યું જયારે આપણો દેશ આઝાદ થયો. ઘણાં વર્ષો ની ગુલામી પછીના આપણો ભારત દેશ અંગ્રેજો ની ગુલામી માંથી આઝાદ થયો હતો વર્ષો પેહલા આપણો દેશ અંગ્રેજોની ગુલામી હેઠળ જીવી રહ્યો હતો તે સમયે દેશ માં કોઈ પણ પ્રકાર ની ટેકનોલોજી કે કોઈ પણ પ્રકારની સદેશા વ્યવહારની સુવિધા ઉપલબ્ધ ન હતી. અંગ્રેજોનો ઢોર માર ગુલામી હેઠળ આપણો દેશ પીસાતો જતો હતો વર્ષો ના વર્ષો વીત્યા ભારતવાસીઓ આ ગુલામીના લીધે ત્રાસી ગયા હતા અને એક દિવસ આ ગુલામીમાંથી છુટવા માટેના પ્રયાસો શરુ થયા લોકોમાં વિદ્રોહની આગ એટલી હદે ભડકી ઉઠી અને ભારતમાતાને ગુલામીમાંથી આઝાદ કરાવા માટે ભારતની ભૂમિ પર અનેક શુરવીરોએ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી અનેક માતાઓએ પોતાનો ખોળાનો ખુંદનાર દેશની સેવા માટે સમર્પિત કરી દીધા અને છેવટે આઝાદી મેળવીને જ તેમેણ શાંતિ મેળવી આ દિવસે જ આપણો ભારત દેશ અંગ્રેજોની ગુલામી માંથી આઝાદ થયો હતો માટે તેને આપને સ્વતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ અને શહીદ થયેલા લોકો ને શ્રધાંજલિ અર્પણ કરીએ છીએ .

આ દિવસ  આવતાની સાથે જ આપણને તે શહીદ થયેલા લોકોની યાદ આવે છે આને આપણું મસ્તક તેમને શ્રધાંજલિ આપવા માટે જુકી જાય છે વર્ષો પેહલા દુનિયાના નકશામાં ભારતનું સ્થાન બહુ જ નાનું કહીં શકાય તેવુ હતું પરંતુ અનેક શુરવીરો અને ભારતમાતાના બહાદુર પુત્રોએ ભારતને ઘણી ઉંચાઈએ પહોચાડ્યું છે શુરવીરોએ માત્ર આપણા દેશને આઝાદ જ નથી કર્યો પરંતુ  આખા ભારતનો નકશો જ બદલી દીધો  છે ભારત દેશને ગુલામીમાંથી મુક્ત કરવા માટે ઘણી બધી મુશ્કેલીઓ સહન કરવી પડી   સત્યાગ્રહો , આંદોલનો કર્યા !… અને ઘણા બધા શુરવીરો શહીદ પણ થયા !…….. ત્યારે પછી આપણને ગુલામી મુક્ત ભારત દેશ મળ્યો છે આજે જો આપણો દેશ બધા જ ક્ષેત્રોમાં મુક્તરીતે આગળ વધી રહ્યો છે તો તે આ શુરવીરોની શૂરવીરતા ના કારણે જ !….. સલામ છે તેમની માતાઓ ને કે તેમણે દેશની રક્ષા માટે પોતાનાં એકના એક દીકરાને ખુશીથી દેશની સેવા માટે સમર્પિત કરી દીધો !

ભારત દેશના શુરવીરો આજે પણ સરહદ પર આપણા  ભારત દેશની સેવા માટે દિવસ રાત લડી રહ્યા છે.
જયારે જયારે આપણા દેશ પર દુશ્મનો નો હુમલો થાય છે તેટલી વાર અનેક માતાના લાડકવાયા પુત્રો ભારત માતાના ચરણોમાં શહીદ થાય છે. પણ પોતાનું  કર્તવ્ય કયારેય પણ નથી ભૂલતા.

26 જાન્યુઆરી ના દિવસ નું એક ઐતિહાસિક મહત્વ છે આજના દિવસે આપણે એક પ્રતિજ્ઞા લેવી જોઈએ કે ભારત દેશ ના નાગરિક તરીકે હું ભ્રષ્ટાચાર , આતંકવાદ , ઘુસણખોરી , અને હિંસા ને દેશમાં ના જડમૂળ માંથી હટાવી દેવા હંમેશા પ્રયત્નશીલ રહીશ.

  •  ભૂમિકા પંચાલ
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *