હંસલ મહેતા બનાવશે શ્રીદેવીની બાયોપીક

News KhabarPatri
1 Min Read
હંસલ મહેતાને એક વસવસો રહી ગયો છે કે તેમણે શ્રીદેવી સાથે કામ ન કર્યુ. હવે શ્રીદેવી જ્યારે આ દુનિયામાં નથી ત્યારે તેમણે નક્કી કર્યું છે કે શ્રીદેવીની બાયોપીક બનાવશે. જેના માટે તેમણે વિદ્યા બાલનને અપ્રોચ કર્યો છે.
શ્રીદેવીની અચાનક મૃત્યુથી દેશભરમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ. હંસલ મહેતાએ ટ્વીટ કરી હતી કે હું શ્રીદેવીને ફિલ્મ ઓફર કરવાનો જ હતો અને આ દુઃખના સમાચાર સાંભળવા મળ્યા.શ્રીદેવીને કોઇ રિપ્લેસ ન કરી શકે.
શ્રીદેવી હસતી ત્યારે ખુબ જીવંત લાગતી. તેના પરફેક્ટ ડાન્સ મૂવ્સ માટે તે જાણીતી હતી. શ્રીદેવીની બાયોપીક દ્વારા હંસલ મહેતા તેને હંમેશ માટે જીવતી રાખવા માંગે છે.
હવે આ બાયોપીકની રાહ દર્શકોને ચોક્કસ રહેશે.
Share This Article