નવી દિલ્હી: ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરને આજે ઓલ ઇન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. આની સાથે જ તેમની સારવાર શરૂ થઈ ચુકી છે. મનોહર પારિકર હાલમાં પેનક્રિયાટીક સારવાર લઈ રહ્યા છે. તબીબોની ટીમ દ્વારા તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. અગ્રણી હોસ્પિટલમાં તબીબો જરૂરી ટેસ્ટ કરી રહ્યા છે. વધુ ટેસ્ટ કરવામાં આવ્યા બાદ નવી સરવાર અંગે નિર્ણય લેવામાં આવશે. ૬૨ વર્ષીય મનોહર પારિકરને લથડતી તબિયતના કારણે આજે રાષ્ટ્રીય પાટનગરમાં લાવવામાં આવ્યા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં અમેરિકાથી મનોહર પારિકર પરત ફર્યા હતા. ત્યારબાદ તેમને ઉત્તર ગોવામાં એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મનોહર પારિકર મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપે તેવી શક્યતા દેખાઈ રહી છે.
Renault દ્વારા નવુ ડિઝાઇન સેન્ટર ખોલવામા આવ્યુ, ભારતમાં ‘renault. rethink’ પરિવર્તનશીલ વ્યૂહરચનાના પ્રારંભને ચિન્હીત કરે છે
Renault ઇન્ડિયાએ પોતાના બ્રાન્ડ પરિવર્તનશીલ વ્યૂહરચના ‘renault. rethink’ની ઘોષણા કરી છે, જે ભારતમાં તેની આંતરરાષ્ટ્રીય ગેમપ્લાન 2027ના અમલીકરણ પરત્વેનું આગવુ...
Read more