ગુજરાતમાં વરસાદની રમઝટ, 160 તાલુકા પાણીમાં તરબોળ, 11 ડેમ હાઇએલર્ટ પર

Rudra
By Rudra 3 Min Read

ગાંધીનગર/અમદાવાદ : ગુજરાતમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૬૦ તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ વરસ્યો હતો. હાલમાં ૧૧ ડેમ હાઇઍલર્ટ પર છે, જ્યારે ૧૩ ડેમ ઍલર્ટ પર અને ૧૦ ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે.

રાજ્યમાં પંચાયત હસ્તકના કુલ ૯૫ માર્ગો વાહનવ્યવહારમાટે બંધ કરાયા છે. ભાવનગરમાંથી પસાર થતો ૧ નેશનલ હાઇવે ભારે વરસાદને કારણે બંધ કરાયો છે.
આજથી લઈને કાળ સુધી હવામાન વિભાગ દ્વારા નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની શક્યતાને લઈને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું.

હવામાન વિભાગની આગાહી બાદ માછીમારોને આગામી ૩ થી ૪ દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન, રાજ્યમાં પવનની ગતિ ૪૦ થી ૫૦ કિમી પ્રતિ કલાક રહેવાની સંભાવના છે.

સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ભારે વરસાદ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

રાજ્યના ૧૫ જળાશયો હાઈએલર્ટ પર મુકાયા છે. તથા ૧૦ જળાશયો એલર્ટ પર તો ૯ જળાશયો વોર્નિંગ લેવલ પર છે. ૯ જળાશયો ૧૦૦ ટકા તો ૨૫ જળાશય ૭૦થી ૧૦૦ ટકા ભરાયા છે. રાહત બચાવ માટે દ્ગડ્ઢઇહ્લ અને જીડ્ઢઇહ્લની ટીમ ડિપ્લોય કરાઈ છે. વરસાદને કારણે રાજ્યમાં હાલ ૧૫૩ રસ્તાઓ બંધ સ્થિતિમાં છે.

નર્મદામાં સરદાર સરોવર ડેમમાં નવાનીરની આવક થઇ છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સપાટી વધી છે. ઉપરવાસમાંથી ૨૦,૬૪૪ ક્યુસેક પાણીની આવક થઇ છે. ત્યારે નર્મદા ડેમની હાલની સપાટી ૧૧૯.૫૫ મીટર પર પહોંચી છે. તથા ઇમ્ઁૐ, ઝ્રૐઁૐના પાવર હાઉસ ચાલુ કરાયા છે. ઇમ્ઁૐના ૪ અને ઝ્રૐઁૐનો ૧ પાવર હાઉસ ચાલુ છે. નર્મદા નદીમાં પણ ૩૩ હજાર ક્યુસેક પાણી આવ્યું છે. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં સાવર્ત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છે. તથા મધુબન ડેમમાં પાણીની આવક થઈ છે. જેમાં ડેમના ૬ ગેટ ૧.૨૦ મીટરે ખોલવામાં આવ્યા છે.

દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું

૫૦,૦૦૦ ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. તથા દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે તેથી નીચાણવાડા વિસ્તારના લોકોને એલર્ટ કર્યા છે. ત્યારે સાપુતારા ડાંગમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ગીરા ધોધ સોળે કળાએ ખીલેલો જાેવા મળ્યો છે. પ્રવાસીઓને ગીરાધોધ નજીક ન જવા તંત્રની સૂચના છે. તાપી જિલ્લાના ઉપરવાસમાં ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં કોતરો અને નદી નાળામાં પાણીની આવક થઈ છે. વરસાદ વચ્ચે લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થયો છે. પુલ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. ત્યારે ભાવનગરના વલ્લભીપુરમાં વરસાદ બાદ રોડ રસ્તા બિસ્માર થયા છે. વલ્લભીપુરના નશીતપુર ગામે કેરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. કેરી નદી ઉપર આવેલો કોઝવે વરસાદમાં ધોવાયો છે. કેરી નદીના પાણીના કારણે રસ્તાનું ધોવાણ થયુ છે. આર.સી.સી વાળા રસ્તોનું ધોવાણ થતા લોકોને હાલાકી પડી રહી છે.

Share This Article