ખેડૂતોએ બિયારણ, ખાતરની ખરીદી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ખેડૂતો ખરીફ ઋતુના પાકોના આયોજન અને તેના માટે જરૂરી બિયારણ અને રાસાયણિક ખાતર જેવી પાયાની જરૂરીયાતોની ખરીદીમાં છેતરાય નહી તે માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો.

  • બિયારણ અને રાસાયણિક ખાતરની ખરીદી વિશ્વાસુ પરવાનેદાર (લાયસન્સ હોલ્ડર) પાસેથી સીલ બંધ પેકિંગમાજ ખરીદવાનો આગ્રહ રાખવો જોયીએ.
  • બિયારણ સરકાર માન્ય તેમજ વૈજ્ઞાનિકો દ્વારા કરેલ ભલામણ મુજબના ખરીદવાનો આગ્રહ રાખવો.
  • બિયારણની ખરીદીનું પાકું બીલ લેવું.
  • સરકાર માન્ય ન હોય તેવું બિયારણ, પરવાનેદાર પાસેથી કે અનધિકૃત વિક્રેતાઓ પાસેથી અથવા સગાસંબંધીઓ પાસેથી ખરીદી ન કરવી.
  • વીતેલ મુદ્ત વાળું બિયારણ ન ખરીદવું.
  • પિયત તેમજ સુવિધાઓને ધ્યાને લઈ બિયારણની જાત પસંદ કરવી.
  • ખાતરની ખરીદી સરકાર માન્ય વિક્રેતા અથવા સેવા સહકારી મંડળી અથવા એગ્રી બિજનેસ સેન્ટર પાસેથી કરવી.

અનધિકૃત ખાતર કે બિયારણનું વેચાણ થતું જણાય તો ફોન નં. ૦૨૮૧-૨૪૫૨૦૪૩ પર જાણ કરવા નાયબ ખેતી નિયામક (વિ) રાજકોટની યાદીમાં જણાવ્યું છે.

Share This Article