માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને નવા ચેરમેન મળ્યા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

બંછાનિધિ પાનીને શિક્ષણ બોર્ડના નવા ચેરમેન બનાવીને વધારાનો ચાર્જ સોપાયો

ગાંધીનગર :ગુજરાત શિક્ષણ બોર્ડના નવા ચેરમેનને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને નવા ચેરમેન મળ્યા છે. બંછાનિધિ પાનીને શિક્ષણ બોર્ડના નવા ચેરમેન બનાવીને વધારાનો ચાર્જ સોપાયો છે. એ જે શાહે ચાર્જ છોડયા બાદ બંછાનિધિ પાનીને બોર્ડનો ચાર્જ સોંપાયો છે. તમને જણાવી દઈએ કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે શાહે અચાનક રાજીનામું ધરી દેતા અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. નિવૃત્ત IAS અધિકારી એ.જે. શાહ શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકે છેલ્લા કેટલાય વર્ષોથી ફરજ બજાવી રહ્યા છે.

Share This Article