અમદાવાદ

અમદાવાદ શહેર સર્જન્સ એસોસિએશન અને નિધિ હોસ્પિટલ દ્વારા ASA હર્નિઆની આધુનિક સારવારની 2 દિવસીય  મેડિકલ કોન્ફરન્સનું આયોજન

અમદાવાદ સર્જન્સ એશોશીએશન અને નિધિ હોસ્પિટલ નવરંગપુરા દ્વારા ASA હર્નિઆકોન ૨૦૨૩નું આયોજન તારીખ 4 અને 5 માર્ચના રોજ સર્વમાં આવેલ છે. આ મેડિકલ કોન્ફરન્સમાં તમામ પ્રકારના હર્નિઆ (સારંગગાંઠ)ની સારવાર વિશે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. કોન્ફરન્સનું આયોજન હોટેલ કોર્ટયાર્ડ મેરિયોટ સેટેલાઇટ ખાતે રાખવામાં આવેલ છે. અત્યારના સમયમાં હર્નિઆ (સારંગગાંઠ)ના કેસો ખુબજ વધી રહ્યા છે. ઈન્ગ્વાયનલ હર્નિઆ, ઈન્સીસનલ હર્નિઆ, વેન્ટ્રલ હર્નિઆ, અમ્બીલીકલ હર્નિઆ જેવા વિવિધ પ્રકારના હર્નિઆ જોવા મળતા હોય છે. હર્નિઆની સારવારમાં દવાઓનો કોઈ રોલ નથી. હર્નિઆની સારવાર ફક્ત સર્જરી છે. આ કોન્ફરન્સમાં તારીખ 4 અને 5 માર્ચના રોજ તામર પ્રકારના હર્નિઆના નિદાન અને સારવાર અંગે ચર્ચા કરવામાં આવશે. દેશના અગ્રણી 20 હર્નિઆ સર્જન દેશના જુદા જુદા ખુણેથી અહીં પધારીને તેમના લેક્ચર, પેનલ ડિસ્કશન અને માસ્ટર વિડિઓ દ્વારા માર્ગદર્શન આપશે. અમદાવાદના જાણીતા લેપરોસ્કોપી તથા ગેસ્ટ્રો સર્જન અને નિધિ હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. સુનીલ પોપટ અમદાવાદ સર્જન્સ એશોશીએશનના હોદ્દેદારોની મદદથી આ કોન્ફરન્સનું આયોજન અને સંચાલન કરી રહ્યા છે. કોન્ફરન્સ દરમિયાન નિધિ હોસ્પિટલથી વિવિધ પ્રકારની હર્નિઆ સર્જરીનું લાઈવ ટ્રાન્સમીશન મેરિયોટ હોટેલ ખાતે કરવામાં આવશે. આ કોન્ફરન્સમાં ગુજરાત, મહારાષ્ટ્ર તથા  અન્ય રાજ્યોના 150થી વધારે લીડીંગ લેપરોસ્કોપીક સર્જન્સ ભાગ લઇ રહ્યા છે. આ કોન્ફરન્સને ગુજરાત મેડીકલ કાઉન્સિલર દ્વારા માન્યતા પ્રાપ્ત થઇ છે. અને 7 ક્રેડિટ પોઈન્ટ આપવામાં આવેલ છે.

ડૉ. રેલા હોસ્પિટલની પ્રથમ પેડિયાટ્રિક બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ક્લિનિક અમદાવાદમાં ખુલી

ક્વાર્ટર્નરી કેર હોસ્પિટલ ડૉ. રેલા ઈન્સ્ટિટ્યુટ એન્ડ મેડિકલ સેન્ટર (આરઆઈએમસી), ચેન્નાઈના સહયોગમાં ક્યોર વર્લ્ડ મેડિકલ ટુરિઝ્મ વિવિધ પ્રકારના દર્દીની જરૂરીયાતોને…

અમદાવાદમાં તા.૧૯ ફેબ્રુવારીએ સૌપ્રથમવાર “સંત સાનિધ્યે સાહિત્યોત્સવ” કાર્યક્રમનું આયોજન

ઝેડ કેડ ફાઉન્ડેશન, એસ.જી.વી.પી. અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના ઉપક્રમે "સંત સાન્નિધ્યે સાહિત્યોત્સવ" અંતર્ગત માતૃભાષાના પર્વ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ…

- Advertisement -
Ad image