તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, સાત સ્ટ્રોક પૈકીના એક સ્ટ્રોકનો હુમલો ઉંઘમાં થઇ જાય છે. આ નવા અભ્યાસના તારણો ખુબ જ ચોકાવનારા છે. સ્ટ્રોકના પ્રાથમિક લક્ષણો જાણવામાં ખુબ જ મુશ્કેલી પડે છે. અમેરિકન એકેડમી ઓફ ન્યુરોલોજીના એક સભ્ય અને યુનિવર્સિટી ઓફ સિનસિનાટીના અભ્યાસના પ્રોફેસર જેસન મેકેએ કહ્યું છે કે, આ પ્રકારના સ્ટ્રોક માટેની એક પ્રકાર સારવાર પ્રથમ લક્ષણો દેખાયાના કલાકો બાદ જ આપવામાં આવે તે જરૂરી છે લક્ષણો જાણી શકાતા નથી. જેથી સારવાર લેવાની બાબત પણ મોડાથી શરૂ થાય છે.
જેથી સ્ટ્રોકના હુમલાઓના લક્ષણો વધી જાય છે. સાથે સાથે આ બીમારી મજબુત રીતે વ્યક્તિની ધરી લે છે. ૧૮ વર્ષની વયમાં અને તેનાથી મોટી વયના લોકોમાં સ્ટ્રોકના તમામ કેસોમાં અભ્યાસ કર્યા બાદ સંશોધકોએ કહ્યું છે કે, હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં આ કેસ પર નજર રાખવામાં આવી હતી. મોટા ભાગના સ્ટ્રોકના હુમલાઓ બ્રેનમાં લોહીના પ્રવાહ ઉપર બ્રેક આવવાના કારણે થાય છે. અભ્સાયમાં ૧૮૫૪ સ્ટ્રોક પૈકીના ૨૭૩ સ્ટ્રોકના હુમલાઓ અથવા તો ૧૪ ટકા સ્ટ્રકો વોકઅપ સ્ટ્રોક તરીકે હોય છે.
વોકસઅ સ્ટ્રોકમાં વ્યક્તિ મજબુત લક્ષણોના કારણે જાગી જાય છે. સંશોધકોનો અંદાજ છે કે, એક વર્ષમાં અમેરિકામાં અંદાજે ૫૮ હજાર લોકો વોકઅપ સ્ટ્રોક બાદ ઇમરજન્સી વિભાગમાં સારવાર માટે પહોંચ્યા હતા. અભ્યાસના પરિણામો ખુબ જ મહત્વપૂર્ણ છે. અભ્સાયના પરિણામ પ્રિન્ટ ઇસ્યુ ઓફ ન્યુરોલોજીમાં પ્રકાશિત કરવામાં આવી ચુક્યા છે. સ્ટ્રોકના હુમલાઓની ફરિયાદ આધુનિક સમયમાં લોકોમાં વધી ગઇ છે.