નવીદિલ્હી : આધાર કાર્ડ અન્ય દસ્તાવેજાેથી અલગ છે જેમાં તે નાગરિકોની બાયોમેટ્રિક માહિતી રેકોર્ડ કરે છે. આધારની વધતી જતી ઉપયોગીતાને કારણે તેને અપડેટ રાખવું જરૂરી છે.આધાર બનાવતી વખતે વખત ઘણી વિગતો ભૂલથી ખોટી દાખલ કરવામાં આવે છે અથવા તે અધૂરી હોય છે. આ કારણે તમને પાછળથી આધાર કાર્ડનો ઉપયોગ કરતી વખતે ધણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેથી આધારમાં તમામ માહિતી સાચી હોવી મહત્વપૂર્ણ છે. આધાર કાર્ડ જારી કરતી સંસ્થા UIDAI આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ, સરનામું, મોબાઈલ નંબર, લિંગ વગેરે માહિતી બદલવાની સુવિધા પૂરી પાડે છે. જાે કે આમાંના કેટલાક મહત્વપૂર્ણ ઘટકોને વારંવાર બદલી શકાતા નથી. તો જાણો કે આધાર કાર્ડ માં કયું અપડેટ કેટલી વાર કરી શકો છો. જાે આધાર કાર્ડમાં નામના સ્પેલિંગમાં કોઈ ભૂલ હોય અથવા મહિલાઓ લગ્ન પછી તેમની અટક બદલવા માંગતી હોય તો તે આમ કરી શકે છે. UIDAI નું નામ ઓનલાઈન અથવા ઓફલાઈન બદલી શકાય છે. જાે કે આધાર કાર્ડમાં નામ અપડેટ ફક્ત બે વાર જ કરી શકાય છે. ઘણા આધાર કાર્ડ બનાવતી વખતે જાતિ ખોટી રીતે દાખલ કરવામાં આવી હોઈ છે. . UIDAI ના નિયમો મુજબ આ બદલી શકાય છે. તમને આધાર કાર્ડમાં જેન્ડર અપડેટ કરવાની માત્ર એક તક મળશે. . UIDAI દ્વારા બનાવવામાં આવેલા નિયમો અનુસાર જાે કોઈ વ્યક્તિ ના આધાર કાર્ડમાં ખોટી જન્મતારીખ દાખલ કરે છે, તો તેને ફક્ત એક જ વાર અપડેટ કરી શકાય છે. તે પછી તેને કોઈપણ રીતે બદલી શકાશે નહીં. આધારમાં તમે તમારા ઘરનું સરનામું, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, ફોટો, ફિંગરપ્રિન્ટ અને રેટિના સ્કેન વારંવાર અપડેટ કરી શકો છો. તેમને અપડેટ કરવા માટે કોઈ નિર્ધારિત મર્યાદા નથી.
અનંત નેશનલ યુનિવર્સિટીએ બે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું
અમદાવાદ : અનંત નેશનલ યુનિવર્સિટીએ તાજેતરમાં જ બે સીમાચિહ્નરૂપ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ‘ધ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ઈન્ડિજિનિયસ નોલેજ...
Read more