નવીદિલ્હી : ભારતીય રેલ્વેમાં મુસાફરી કરતા કરોડો વૃદ્ધ રેલ્વે મુસાફરો માટે એક નિરાશાજનક સમાચાર આવ્યા છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં જણાવ્યું હતું કે રેલ્વે દ્વારા વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી રાહતો પર હાલ પૂરતો પ્રતિબંધ મૂકવામાં આવશે. આનો સીધો મતલબ એ છે કે ટ્રેનમાં મુસાફરી કરતા વરિષ્ઠ નાગરિકોને હાલમાં ભાડામાં કોઈ છૂટ નહીં મળે અને તેઓએ પણ બાકીના મુસાફરોની જેમ સંપૂર્ણ ભાડું ચૂકવવું પડશે. વર્ષ ૨૦૨૦માં જ્યારે દેશમાં કોરોના વાયરસની પ્રથમ લહેર આવી હતી.ત્યારે સરકારે પેસેન્જર રેલ સેવાઓ પર પ્રતિબંધ મુકી દીધો હતો. જાેકે, થોડા સમય બાદ સરકારે પેસેન્જર સેવાઓ શરૂ કરી હતી. પરંતુ, જ્યારે રેલ સેવાઓ શરૂ કરવામાં આવી, ત્યારે રેલવેએ વૃદ્ધ મુસાફરોને આપવામાં આવતી છૂટ બંધ કરી દીધી. જ્યારે કોરોના દરમિયાન પેસેન્જર ટ્રેન સેવાઓ ફરી શરૂ કરવામાં આવી હતી, ત્યારે વૃદ્ધોને ભાડામાં મળતી રાહત બંધ કરી દેવામાં આવી હતી. જાે કે, રેલ્વેએ અમુક શ્રેણીઓમાં આવતા મુસાફરો માટે ભાડામાં રાહત આપવાનું ફરી શરૂ કર્યું. તમને જણાવી દઈએ કે જ્યારે કોરોના દરમિયાન રેલ સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી, ત્યારથી જ ૪ કેટેગરીના વિવિધ વિકલાંગ, ગંભીર રોગોથી પીડિત ૧૧ દર્દીઓ અને વિદ્યાર્થીઓને ભાડામાં રાહત મળવા લાગી હતી. કોરોના દરમિયાન જ્યારે રેલ્વે સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી, તે સમયે રેલ્વેને ઘણું સહન કરવું પડ્યું હતું. ટિકિટ વેચાણ બંધ થવાને કારણે મુસાફરોના ભાડામાંથી થતી કમાણી પણ બંધ થઈ ગઈ હતી. જાેકે સેવાઓ પછીથી શરૂ કરવામાં આવી હતી, પરંતુ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. વર્તમાન સમયમાં પણ લોકો હવે જરૂર હોય ત્યારે જ ટ્રેનમાં મુસાફરી કરે છે. તેથી ટ્રેનોમાં મુસાફરોની સંખ્યા ઓછી હોવાને કારણે ભારતીય રેલવેની કમાણી પર ખરાબ અસર પડી હતી. ભારતીય રેલ્વે ૫૮ વર્ષથી વધુ ઉંમરના મહિલા મુસાફરો અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના પુરૂષ મુસાફરોને ભાડામાં છૂટ આપતી હતી. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારતીય રેલ્વે મુસાફરોને આપવામાં આવતી રાહતોથી બોજારૂપ છે, તેથી રેલ્વેએ ર્નિણય લીધો છે કે હાલના તબક્કે વૃદ્ધોને રેલ ભાડામાં મળતી રાહત પર પ્રતિબંધ ચાલુ રહેશે અને તેઓને પણ રાહત આપવામાં આવશે. બાકીનું સંપૂર્ણ ભાડું મુસાફરોની જેમ ચૂકવવું પડશે.
Renault દ્વારા નવુ ડિઝાઇન સેન્ટર ખોલવામા આવ્યુ, ભારતમાં ‘renault. rethink’ પરિવર્તનશીલ વ્યૂહરચનાના પ્રારંભને ચિન્હીત કરે છે
Renault ઇન્ડિયાએ પોતાના બ્રાન્ડ પરિવર્તનશીલ વ્યૂહરચના ‘renault. rethink’ની ઘોષણા કરી છે, જે ભારતમાં તેની આંતરરાષ્ટ્રીય ગેમપ્લાન 2027ના અમલીકરણ પરત્વેનું આગવુ...
Read more