સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા ૧૩મી જુલાઇએ અમદાવાદ ખાતે સંસ્કૃતોત્સવ કાર્યક્રમ યોજાશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા આગામી ૧૩મી જુલાઇ, ૨૦૧૮ના રોજ અમદાવાદ ખાતે ‘સંસ્કૃતોત્સવ ૨૦૧૮’ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે સાંજે ૫-૦૦ કલાકે યોજાનાર આ સંસ્કૃતોત્સવ કાર્યક્રમમાં રાજ્યપાલ ઓ.પી. કોહલી, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સહકાર અને યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહી પ્રેરક માર્ગદર્શન આપશે.

આ સમારોહમાં વર્ષ ૨૦૧૭-૧૮ અને વર્ષ ૨૦૧૮-૧૯ના સંસ્કૃત ભાષાના વેદ પંડિતોનું સન્માન, સંસ્કૃત સાહિત્ય ગૌરવ પુરસ્કાર, સંસ્કૃત યુવા ગૌરવ પુરસ્કાર અને સંસ્કૃત કુટુંબોને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાશે. આ કાર્યક્રમમાં સાહિત્યકારો તથા સંસ્કૃત પ્રેમીઓને ઉપસ્થિત રહેવા અકાદમી દ્વારા નિમંત્રણ પાઠવાયુ છે.

Share This Article