કચ્છના ભચાઉમાં એક હત્યાના કેસમાં પોલીસ તપાસમાં બેદરકારી રાખનાર કચ્છના પોલીસ અધિકારી સામે કાર્યવાહી થશે. ભચાઉ પોલીસની કામગીરી સામે હાઈકોર્ટ લાલઘૂમ છે. આ કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કચ્છના રેન્જ આઇજી જે. આર. મોથલિયા અને ગાંધીધામ એસપી કોર્ટમાં રૂબરૂ હાજર રહ્યા હતા. ત્યારે આ હત્યા કેસમાં કથિત રીતે નિર્દોષ વ્યક્તિનું નામ નખતાં હાઇકોર્ટે પોલીસ અને રાજ્ય સરકાર બંનેને ફટકાર લગાવી છે.ભચાઉમાં થયેલી હત્યાના કેસમાં એક નિર્દોષ વ્યક્તિની ધરપકડની ઘટનાની ગંભીરતા જોઈ હાઇકોર્ટે IG, કચ્છ SP સહિતના અધિકારીઓને તાત્કાલિક કોર્ટમાં બોલાવ્યા હતા. હાઇકોર્ટે આ મામલે જણાવ્યુ હતુ કે પોલીસની કામગીરીથી લોકોનો વિશ્વાસ વધવો જોઈએ, પરંતુ હાલ અધિકારી કલંક લાગે તેવું કામ કરી રહ્યા છે. સાથે જ તેમણે સવાલ કર્યા હતા કે શું IG એટલા વ્યસ્ત છે કે તેઓ ફોન ઉપાડી શકતા નથી? શું SP એટલા બધા ગભરાય છે કે IG સાથે વાત કરતા બીક લાગે છે ?
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ડો.ખ્યાતિ ‘રેવા’ પુરોહિતના પુસ્તક ‘મુઝ મેં મિથિલા બસ ગયા – મિથિલાંચલ ડાયરી’નું લોકાર્પણ થયું
ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અખિલ ભારતીય સાહિત્ય પરિષદનાં રાષ્ટ્રીય સંગઠનમંત્રી શ્રદ્ધેય શ્રીધર પરાડકરજીના હસ્તે અમદાવાદનાં પત્રકાર-અધ્યાપિકા ડૉ.ખ્યાતિ ‘રેવા’...
Read more