નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર હવે ખેડુતો માટે ૧૫મી ઓગષ્ટથી પેન્શન સ્કીમ શરૂ કરવા જઇ રહી છે. આ પેન્શન સ્કીમના ડ્રાફ્ટને અંતિમ રૂપ આપી દેવામાં આવ્યા બાદ આને લઇને ચર્ચા છે. નાણાં મંત્રાલય અને કૃષિ મંત્રાલય વચ્ચે આ મુદ્દા પર વાતચીત ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આની જાહેરાત ૧૫મી ઓગષ્ટના દિવસે કરી શકે છે. કૃષિ સચિવે રાજ્યોને પત્ર લખીને સ્કીમ શરૂ કરવા માટે વ્યવસ્થા તૈયાર કરવા માટે સુચના આપી દીધી છે.
આ યોજના હેઠળ એલઆઇસી ખેડુતોના પેન્શન ફંડને મેનેજ કરશે. આ પેન્શન સ્કીમ હેઠળ ખેડુતોને ૬૦ વર્ષ બાદ ૩૦૦૦ રૂપિયા મહિને આપવામાં આવશે. અત્રે નોંધનીય છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી સરકારની મંત્રીમંડળની પ્રથમ બેઠકમાં જ ખેડુતો માટે એક પેન્શન યોજનાને મંજુરી આપવામાં આવી હતી. આનો હેતુ પ્રથમ ત્રણ વર્ષના ગાળામાં જ પાંચ કરોડ લાભાર્થીઓને આ યોજનાની હદમાં લાવવા માટેનો છે. નવી યોજનાના સંબંધમાં રાજ્યોના કૃષિ મંત્રીઓ સાથે વાતચીત કરવામાં આવી ચુકી છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને વહેલી તકે માહિતી આપવા માટે કહેવામાં આવ્યુ છે.
આ સ્કીમમાં રાજય સરકારોનો પૂર્ણ સહકાર મેળવવામાં આવનાર છે. રાજ્યોને કહેવામાં આવ્યુ છે કે તેઓ વધુને વધુ ખેડુતોને લાભ મળી શકે તે માટે સહકાર આપે તે જરૂરી છે. સ્કીમમાં નાણાંકીય સંબંધિત પાસા પર સહમતી થઇ ગઇ છે. જારદાર રીતે પ્રતિક્રિયા મળી શકે છે.