શ્રી કૃષ્ણ જન્મભૂમિના પક્ષકારને પત્ર અને ૩ ગોળીઓ મોકલીને અપાઈ ધમકી
મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિના વકીલ વિષ્ણુ ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. કેટલાક અરાજકતાવાદી તત્વોએ તેને ધમકીભર્યો પત્ર અને ત્રણ ગોળીઓ પણ મોકલી છે. આરોપીએ તેને ઇદગાહ મસ્જિદનો કેસ પાછો ખેંચી લેવા કહ્યું છે. તેને ચેતવણી આપતા લખવામાં આવ્યું છે કે તેની પાસે ચોથી ગોળી પણ છે અને જાે તે આમ નહીં કરે તો આ ગોળી તેના મગજ પર મારવામાં આવશે. શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં પક્ષકાર વિષ્ણુ ગુપ્તા પણ હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. આ ધમકીભર્યો પત્ર તેમને આઈપી એક્સટેન્શન સ્થિત મધુ વિહારના સરનામે મોકલવામાં આવ્યો છે. આ અંગે વિષ્ણુ ગુપ્તાએ પોલીસમાં ફરિયાદ કરી છે. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વિષ્ણુ ગુપ્તાને મોકલવામાં આવેલા પત્રમાં લખ્યું છે કે- વિષ્ણુ ગુપ્તા, તું ઇદગાહ મસ્જિદનો કેસ પાછો ખેંચી લે. જાે આમ નહીં કરે તો તને મારી નાખવામાં આવશે. અત્યારે તને ત્રણ ગોળી મોકલી રહ્યો છું, પણ મારી પાસે ચોથી ગોળી પણ છે અને આ ગોળી તારા મગજ પર લાગશે. બાબરી તો શહીદ થઈ ગઈ, હવે અમે બીજી કોઈ મસ્જિદ શહીદ નહીં થવા દઈએ. આ ધમકીભર્યા પત્રને લઈને વિષ્ણુ ગુપ્તા મથુરાના મધુ વિહાર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને અજાણ્યા તત્વો વિરુદ્ધ લેખિત ફરિયાદ આપી છે. પોલીસે પણ ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જાે કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ ધમકીભર્યો પત્ર કોણે અને ક્યાંથી મોકલ્યો છે. જાે કે પોલીસને શંકા છે કે આ કૃત્ય સ્થાનિક વ્યક્તિ દ્વારા જ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસના પક્ષકારોને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ અંગે પોલીસમાં અગાઉ પણ ઘણા કેસ નોંધાયેલા છે. હજુ સુધી મથુરા પોલીસ એક પણ આરોપીને પકડી શકી નથી. પ્રથમ ધમકી શ્રી કૃષ્ણ જન્મભૂમિના એડવોકેટ મહેન્દ્ર પ્રતાપને મળી હતી. આ પછી આશુતોષ પાંડેને પણ બોમ્બની ધમકી મળી હતી. પાકિસ્તાન તરફથી આ ધમકી મળી હતી. હવે વિષ્ણુ ગુપ્તાને ધમકી મળી છે.
ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકમાં દિવ્યાંગો,૮૦ વર્ષથી મોટી ઉંમરના વડીલોને વાહનની સુવિધા મળશે
સુવિધા માટે ૦૭૯૨૯૦૯૩૩૭૪/૦૭૯૨૩૨૫૯૦૭૪ નંબર જાહેર કરાયો ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર ૦૭,મેના રોજ મતદાન થશે. આ અવસરે ગાંધીનગર ઉત્તર...
Read more