ગિરનાર પર ભારે પવન ફૂંકાતા રોપવે સેવા બંધ કરવામાં આવી
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ રાજ્યમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં વરસાદની આગાહી કરી છે. તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે.. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગિરનાર પર ભારે પવન ફૂંકાતા રોપવે બંધ કરવામાં આવ્યો છે. આજે વહેલી સવારથી જ ભારે પવન ફૂંકાતા રોપવે બંધ કરવામાં આવ્યો છે. રોપવે સેવા બંધ થઇ જતા પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એવું પણ કહેવામાં આવ્યું કે કો પવનની ગતિ ધીમી થતા આ સેવા ફરી શરુ કરવામાં આવશે.
અમદાવાદના ડીજે ટોયોટામાં ન્યૂ અર્બન ક્રુઝર ટાયઝરનું લોન્ચિંગ થયું
અમદાવાદ: ટોયોટા કિર્લોસ્કર મોટરે ભારતમાં પોતાની મલ્ટિપલ SUV લાઇન અપની રેન્જમાં માટે એક નવી ટોયોટા અર્બન ક્રૂઝર ટાયઝર લોન્ચ કરી...
Read more