પેલેસ્ટાઈન સ્વતંત્ર રાજ્ય નહીં બને ત્યાં સુધી સાઉદી-ઈઝરાયેલ વચ્ચે રાજદ્વારી સંબંધો નહીં થાય
સાઉદી અરેબિયાએ ફરી ઈઝરાયેલને પોતાની તાકાત બતાવી છે. તેમણે બેન્જામિન નેતન્યાહુના દેશને ચેતવણી આપી છે કે જ્યાં સુધી પેલેસ્ટાઈન સ્વતંત્ર રાજ્ય નહીં બને ત્યાં સુધી સાઉદી અને ઈઝરાયેલ વચ્ચે કોઈ રાજદ્વારી સંબંધો નહીં હોય. સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે રિયાધ પેલેસ્ટાઈનીઓને તેમના અધિકારો આપવા માટે મક્કમ છે. સાઉદી અરેબિયાએ અમેરિકી પ્રશાસનને પણ તેની સ્થિતિ વિશે જાણ કરી છે. રિયાદે અમેરિકાને કહ્યું છે કે જ્યાં સુધી ઈઝરાયેલને સ્વતંત્ર પેલેસ્ટિનિયન રાજ્ય તરીકે માન્યતા આપવામાં ન આવે ત્યાં સુધી તેની સાથે કોઈ રાજદ્વારી સંબંધો નહીં હોય. તમને જણાવી દઈએ કે યુએસ નેશનલ સિક્યોરિટી (કાઉન્સિલ)ના પ્રવક્તા જાેન કિર્બીએ મંગળવારે જણાવ્યું હતું કે બિડેન વહીવટીતંત્રને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે કે સાઉદી અરેબિયા અને ઇઝરાયેલ સામાન્યીકરણની ચર્ચાઓ ચાલુ રાખવા ઇચ્છુક છે. સાઉદી અરેબિયાનું આ નિવેદન અમેરિકાની ટિપ્પણી બાદ આવ્યું છે. સાઉદીએ એમ પણ કહ્યું છે કે ગાઝા પટ્ટી પર ઈઝરાયેલનો હુમલો બંધ થવો જાેઈએ અને ઈઝરાયેલના તમામ કબજાવાળા દળો ગાઝા પટ્ટીમાંથી હટી જાય. અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને સોમવારે રિયાધમાં સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે મુલાકાત કરી હતી. તે ગાઝાની સ્થિતિ પર સહયોગી દેશો સાથે ચર્ચા કરવા સાઉદી અરેબિયાની મુલાકાતે છે. તેઓ ઇજિપ્ત અને કતારની મુલાકાત બાદ મંગળવારે ઇઝરાયલ પહોંચ્યા હતા. ગયા મહિનાની શરૂઆતમાં એક સાઉદી રાજદ્વારીએ કહ્યું હતું કે જ્યાં સુધી તે ગાઝામાં યુદ્ધવિરામ માટે તૈયાર નહીં થાય ત્યાં સુધી સાઉદી અરેબિયા ઈઝરાયેલ સાથે સંબંધો નહીં રાખે. સાઉદી અરેબિયાએ હજુ સુધી ઈઝરાયેલને એક દેશ તરીકે માન્યતા આપી નથી. ગયા વર્ષે, બંને દેશો સંબંધો સામાન્ય બનાવવા તરફ આગળ વધી રહ્યા હતા, પરંતુ ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધે વાતચીતને પાટા પરથી ઉતારી દીધી હતી. સાઉદી શાસક ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ઈઝરાયેલ સાથેના સંબંધોને સામાન્ય બનાવવા માટે કેટલીક શરતો રાખી હતી. આ શરતોમાં વોશિંગ્ટન તરફથી સુરક્ષા ગેરંટી અને નાગરિક પરમાણુ કાર્યક્રમ વિકસાવવાનો સમાવેશ થાય છે. સાઉદી અરેબિયા ૨૦૦૨ આરબ પીસ ઇનિશિયેટિવથી પેલેસ્ટિનિયન મુદ્દા પર અડગ રહ્યું છે. સાઉદી અરેબિયા અગાઉ યુ.એસ. સાથેના સંરક્ષણ કરારના બદલામાં ઇઝરાયેલ સાથેના સોદા માટે સંમત થયું હતું જે રાજ્યને તેના નાગરિક પરમાણુ કાર્યક્રમ બનાવવામાં મદદ કરશે. જાેકે, ઈઝરાયેલ-હમાસ યુદ્ધ ફાટી નીકળ્યા પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ. ૭ ઑક્ટોબરથી, ગાઝામાં ઇઝરાયેલના બોમ્બમારાને કારણે ૨૭,૫૦૦ થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે. ગાઝામાં સૌથી વધુ મોત મહિલાઓ અને બાળકોના છે.
Breaking Barriers: Indian SMEs Shine on the Global Stage Dr. Manav Ahuja’s TPEG International is Leading Local Brands to International Success
India: TPEG International LLC, led by the esteemed CEO Coach Dr. Manav Ahuja, is leading an initiative to elevate 10,000...
Read more