• Latest
  • Trending

શબ્દના જાદુગર વાજપેયીના જન્મદિવસે વિવિધ કાર્યક્રમો

6 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Monday, March 30, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

શબ્દના જાદુગર વાજપેયીના જન્મદિવસે વિવિધ કાર્યક્રમો

રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, અન્યોએ શ્રદ્ધાંજલિ આપી

KhabarPatri News by KhabarPatri News
December 25, 2019
in ભારત, રાજનીતિ
0

દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને આજે તેમના જન્મદિવસ પર યાદ કરવામાં આવ્યા હતા. વાજપેયીને શ્રદ્ધાંજલિ સ્વરૂપમાં કેટલાક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. પૂર્વ વડાપ્રધાન વાજપેયીની ૯૫મી જયંતિના પ્રસંગે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રિય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ તેમજ અન્યોએ શ્રદ્ધાંજલિ આપી હતી. દિલ્હી સ્થિત સદેવ અટલ સ્મારક પહોંચીને પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

વાજપેયીના જન્મદિવસની ઉજવણી સુશાસન દિવસ તરીકે પણ કરવામાં આવે છે. વાજપેયીના યશસ્વી અને તેજસ્વી વ્યક્તિત્વને દેશના લોકો ક્યારેય ભુલી શકશે નહી. તેમનાથી લોકોને હમેંશા પ્રેરણા મળતી રહેશે. વિરોધી લોકો પણ વાજપેયીને સાંભળી લેવા માટે હમેંશા ઉત્સુક રહેતા હતા. શબ્દના જાદુગર તરીકે તેમને લોકો ગણે છે. ૨૫મી ડિસેમ્બર ૧૯૨૪ના દિવસે જન્મેલા વાજપેયીનુ ૧૬મી ઓગષ્ટ ૨૦૧૮ના દિવસે અવસાન થયુ ત્યારે દેશના લોકો આઘાતમાં ગરકાવ થઇ ગયા હતા. વાજપેયી એવા નેતા તરીકે હતા જે વિપરિત વિચારધારાના લોકોને એક સાથે લઇને ચાલ્યા હતા. સાથે સાથે ગઠબંધન કરીને મજબુત સરકાર બનાવી હતી. વાજપેયી પોતાની ટિકા સાંભળી લેવાની હિમ્મત રાખતા હતા.

અટલ બિહારી વાજપેયીનો જન્મ ૨૫ ડિસેમ્બર ૧૯૨૪ના દિવસે ગ્વાલિયરમાં થયો હતો. વાજપેયી આજીવન બેચલર તરીકે રહ્યા હતા. પરંતુ પુત્રી નમીતાને તેઓ દત્તક તરીકે લીધી હતી. નાની વયમાં જ વાજપેયીએ બ્રિટીશ શાસનનો વિરોધ કરવા બદલ જેલની સજા પણ ભોગવી હતી. વડાપ્રધાન તરીકેની તેની સેવા અભૂતપૂર્વ રહી હતી. વાજપેયી ભારતના ત્રણ વખત વડાપ્રધાન બન્યા હતા. મે ૧૯૯૬માં વડાપ્રધાન તરીકેની તેમની પ્રથમ અવધિ ટૂંકી રહી હતી. પ્રથમ અવધિ ૧૫ દિવસની રહી હતી. જ્યારે  બીજી અવધિ ૧૯૯૮માં શરૂ થઈ હતી પરંતુ આ અવધિ ૧૩ મહિના સુધી ચાલી હતી. તે વખતે સ્વ. જયલલિતાએ ટેકો પાછો ખેંચી લીધો હતો. તેમની ત્રીજી અવધિ ૧૯૯૯માં શરૂ થઈ હતી જે સંપર્ણ પાંચ વર્ષ સુધી ચાલી હતી. તેમની સંસદીય કારકિર્દી પાંચ દશક સુધી રહી હતી. તેઓ લોકસભામાં ૧૦ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. જ્યારે રાજ્યસભામાં બે વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ પહેલા કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં રોહતાંગ સુરંગનુ નામ અટલ બિહારી વાજપેયી નામ રાખવામાં આવ્યુ છે.

વાજપેયી પહેલા બિન કોંગ્રેસ નેતા હતા જે પીએમ તરીકે પાંચ વર્ષ સુધી સત્તામાં રહેનાર પ્રથમ વડાપ્રધાન હતા. મોદીએ વર્ષ ૨૦૧૪માં પ્રથમ વખત સત્તામાં આવ્યા બાદ વર્ષ ૨૦૧૫માં વાજપેયી અને મદનમોહન માલવીયને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Tags: Atal Bihari VajpayeeBirthdayPrime MinisterTribute
Previous Post

કબડ્ડી સ્ટાર, તમિલ થલાઇવા, રાઇડર રાહુલ ચૌધરી અને અમદાવાદી કોમર્શિયલ પાયલટ હેતાલી બ્રહ્મભટ્ટની સગાઈ

Next Post

તમામ કુશળતા છતાંય કૃતિ ખરબંદા ફ્લોપ સાબિત થઇ

Next Post

તમામ કુશળતા છતાંય કૃતિ ખરબંદા ફ્લોપ સાબિત થઇ

રાજયના અશ્વ ગોલ્ડીએ સુંદરતા મામલે વૈશ્વિક સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યુ

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri