• Latest
  • Trending

કરૂણાનિધીને શ્રદ્ધાંજલિ માટે ધસારો  – વડાપ્રધાન પહોંચ્યા

8 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Sunday, March 29, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

કરૂણાનિધીને શ્રદ્ધાંજલિ માટે ધસારો  – વડાપ્રધાન પહોંચ્યા

કરૂણાનિધીના પાર્થિવ શરીરને ચેન્નાઇના રાજાજી હોલમાં રાખવામાં આવ્યો : અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ

KhabarPatri News by KhabarPatri News
August 8, 2018
in ભારત, રાજનીતિ
0

ચેન્નાઇ : તમિળનાડુના પૂર્વ મુખ્યપ્રધાન કરૂણાનિધીને શ્રદ્ધાંજલિ આપવા માટે સમર્થકો ઉમટી પડ્યા છે. લોકોની ભીડ વચ્ચે આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણઁ ચેન્નાઇ પહોંચ્યા હતા. ચેન્નાઇ વિમાનીમથકે પહોંચ્યા બાદ મોદી સીધા કરૂણાનિધીને અંજલિ આપવા માટે પહોંચ્યા હતા. તેમના પાર્થિવ શરીરને હાલમાં ચેન્નાઇના રાજાજી હોલમાં રાખવામાં આવ્યો છે. જ્યાં શ્રદ્ધાંજલિ આપવા માટે જનસેલાબ છે. બીજી બાજુ તેમના અંતિમસંસ્કારના સ્થળને લઇને ભારે સસ્પેન્સની સ્થિતી છે. કારણકે મરીન બીચ પર કરૂણાનિધીની સમાધી બનાવવા માટે જમીન આપવાનો ઇન્કાર કરવાના મામલે તમિળનાડુની સરકારે કાઉન્ટર એફિડેવિટ દાખલ કરી દીધી છે. આ મામલે સુનાવણી હાથ ધરાઇ છે.

તમિળનાડુના પાંચ વખતના મુખ્યમંત્રી રહેલા અને કલાઈનારના નામથી લોકપ્રિય ડીએમકેના પ્રમુખ મુથ્થુવેલ કરૂણાનિધિનું ગઇકાલે સાંજે ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં ૯૪ વર્ષની વયે અવસાન થતાં તેમના લાખો સમર્થકોમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. દ્રવિડ આંદોલનના પરિણામ સ્વરુપે કરૂણાનિધિ રાજકીયરીતે ઉભરી આવ્યા હતા. આશરે છ દશક સુધી રાજકીય કેરિયરમાં મોટાભાગે તેઓ તમિળનાડુના રાજનીતિમાં મુખ્ય ધ્રુવ તરીકે રહ્યા હતા. ૫૦ વર્ષ સુધી પોતાની પાર્ટીના પ્રમુખ તરીકે રહ્યા હતા. સોમવારના દિવસથી જ તેમની તબિયત સતત ખરાબ થઇ રહી હતી.

શનિવારથી જ તેમની તબિયત વધારે લથડી ગઈ હતી. બહુમુખી પ્રતિભા તરીકે પણ તેમને ગણવામાં આવતા હતા. અગાઉ ૧૯મી જુલાઈના દિવસે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તેજ દિવસે તેમને રજા આપી દેવામાં આવી હતી. હોસ્પિટલમાં તેમની તબિયત ગંભીર બની ત્યારે સમર્થકો મેદાનમાં જમા થયા હતા અને  તેમના માટે પ્રાર્થના કરી રહ્યા હતા.કરૂણાનિધિ તમિળ ભાષા ઉપર ખુબ સારી પકડ ધરાવતા હતા. અનેક પુસ્તકો, ઉપન્યાસો, નાટકો, તમિળ ફિલ્મો માટે સંવાદ લખ્યા હતા. તમિળ સિનેમાથી રાજનીતિમાં એન્ટ્રી કરનાર કરૂણાનિધિ છ દશક સુધી રાજકીય જીવનમાં એક પણ ચૂંટણી હાર્યા ન હતા. કરૂણાનિધિના સમર્થક તેમને પ્રેમથી કલાઈનાર તરીકે બોલાવતા હતા. કરૂણાનિધિ સ્વસ્થ જીવનશૈલી ધરાવતા હતા. સવારે જલ્દી ઉઠી જતા હતા. યોગ કરતા હતા. ખુબ ચાલતા હતા. સામાન્ય ભોજન કરતા હતા. ૨૦૧૬ બાદથી તેમને અનેક વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પીઠ અને પગમાં પીડાના કારણે વર્ષ ૨૦૦૯માં સર્જરી પણ કરવામાં આવી હતી. ડિસેમ્બર ૨૦૧૬માં શ્વાસની તકલીફ થયા બાદ શ્વાસનળીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેમની લાઇફસ્ટાઇલને લઇને હંમેશા લોકો બોધપાઠ લેતા હતા.

૨૦૦૬માં રાજ્યના સૌથી મોટી વયના મુખ્યમંત્રી તરીકે મુખ્યમંત્રી બન્યા હતા કરૂણાનિધિએ ઘણા વિવાદ પણ જગાવ્યા હતા. રામ કોણ હતા, તેમના થવાના સબૂત ક્યા છે. કરૂણાનિધિના આ નિવેદનના કારણે દેશભરમાં નારાજગીનું મોજુ ફરી વળ્યુ હતું. ૩૩ વર્ષની વયમાં કરૂણાનિધિ વર્ષ ૧૯૫૭માં પ્રથમ વખત કુલીખલાઈ સીટ પરથી જીતી તમિળનાડુ વિધાનસભામાં પહોંચ્યા હતા. વર્ષ ૧૯૬૯માં અન્નાદુરાઈના અવસાન બાદ પ્રથમ વખત તમિળનાડુના મુખ્યમંત્રી બન્યા હતા.

Tags: CMDMKKarunanidhiMarina4KalaignarRIPkalaignarTamilnadu
Previous Post

ખેડૂતોને આઠ કલાકના બદલે ૧૦ કલાક વિજળી – સરકાર

Next Post

અમરનાથ યાત્રા રૂટ ઉપર મોટો હુમલો કરવા તૈયારી

Next Post

અમરનાથ યાત્રા રૂટ ઉપર મોટો હુમલો કરવા તૈયારી

જાન્હવી કપુર તેમજ ઇસાન એકબીજાના પ્રેમમાં : રિપોર્ટ

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri