• Latest
  • Trending

નોટબંધી-જીએસટીથી લોકો ગરીબીરેખા નીચે પહોંચ્યા છે

7 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Monday, March 30, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

નોટબંધી-જીએસટીથી લોકો ગરીબીરેખા નીચે પહોંચ્યા છે

મોદીએ ડિમોનિટાઇઝ કરીને લોકો પાસેથી આંચકી લીધેલ પૈસાને અમે રિમોનિટાઇઝ કરીને પરત આપીશું : રાહુલ

KhabarPatri News by KhabarPatri News
March 28, 2019
in ભારત, રાજનીતિ
0

નવીદિલ્હી : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ લઘુત્તમ આવક યોજનાના પોતાના વચનથી ભાજપ પરેશાન હોવાનો દાવો કરતા આજે કહ્યું હતું કે, તેમની પાર્ટીની સરકાર બન્યા બાદ અર્થવ્યવસ્થામાં ફરીથી નવા પ્રાણ ફૂંકવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, મોદીએ તેમના શાસનકાળમાં ડિમોનિટાઇઝ કરીને લોકોનેહેરાન કર્યા હતા પરંતુ અમે રિમોનિટાઇઝ કરીશું. ગાંધીએ ૧૧મી એપ્રિલથી શરૂ થઇ રહેલી ૧૭મી લોકસભા ચૂંટણી પહેલા એક સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે, ન્યાયિક યોજનાનો હેતું દેશના ૨૦ ટકા સૌથી ગરીબ લોકોને વર્ષમાં ૭૨૦૦૦ રૂપિયા આપવાનો રહેલો છે. સાથે સાથે બીજા હેતુ અર્થવ્યવસ્થાને પાટા ઉપર લાવવાનો પણ છે. મોદીએ છેલ્લા પાંચ વર્ષના ગાળામાં નોટબંધી જેવા નિર્ણય અને જીએસટી જેવા નિર્ણયોના લીધે અર્થવ્યવસ્થાની હાલત ખરાબ કરી છે. અસંગઠિત ક્ષેત્રની હાલત કફોડી બની છે. તેમણે કહ્યું હતું કે સમાજના નિચલા સ્તરના ૨૦ ટકા પરિવારોને લઘુત્તમ આવકની ગેરન્ટી આપવામાં આવી રહી છે. ડિમોનિટાઇઝ બાદ હવે રિમોનિટાઇઝ કરવામાં આવશે.

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે, આ યોજનાનું નામ ન્યાય રાખવા પાછળ પણ એક કારણ રહેલું છે. મોદીએ છેલ્લા પાંચ વર્ષમાં ગરીબો પાસેથી માત્ર આંચકી લેવાનું કામ કર્યું છે. ખેડૂતો પાસેથી આંચકી લેવામાં આવ્યા છે. નાના અને મધ્યમ ખેડૂતો પાસેથી પણ નાણાં આંચકી લેવામાં આવ્યા છે. બેરોજગાર યુવાનો પાસેથી પણ કોઇ રકમ આંચકી લેવામાં આવી છે. માતાઓ અને બહેનોની રકમ આંચકી લીધી છે. અમે આ તમામ લોકોને તેમની રકમ પરત આપવા ઇચ્છીએ છીએ. આ વચન પણ લોકલક્ષી છે તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, માત્ર ૧૫ મોટા ઉદ્યોગપતિઓને ૩.૫ લાખ કરોડ રૂપિયા આપી દેવામાં આવ્યા છે. આ યોજના ગરીબોને લાભ પહોંચાડશે જેથી લોકલક્ષી યોજના છે તેમાં કોઇ લાલચ નથી. જ્યારે રાહુલ ગાંધીને સ્કીમને લઇને સમય મર્યાદા અંગે પૂછવામાં આવ્યું ત્યારે કોઇ માહિતી આપી ન હતી. આ યોજનાને માત્ર પાયલોટ પ્રોજેક્ટ તરીકે રજૂ કરવામાં આવશે જેથી તેની આડે રહેલી તકલીફોને જાણી શકાશે.

તેમણે ઉમેર્યું હતું કે, અમે આને જીએસટીની જેમ લાગૂ કરીશું નહીં. સૌથી પહેલા પાયલોટ પ્રોજેક્ટ તરીકે આને રજૂ કરવામાં આવશે ત્યારબાદ દેશભરમાં અમલી કરવામાં આવશે. પાયલોટ પ્રોજેક્ટ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં અમલી કરાશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા રાહુલે કહ્યું હતું કે, આ અંગે નિર્ણય નિષ્ણાતો કરશે. રાહુલે ઉમેર્યું હતું કે, દેશની ગરીબ ૨૦થી ૨૫ ટકા જનતા ગરીબીમાં રહે છે. નોટબંધી અને જીએસટીના કારણે મોટી સંખ્યામાં લોકો ગરીબી નીચે પહોંચી ગયા છે. તેમનો ઉદ્દેશ્ય ગરીબીને ખતમ કરવાનો છે. ન્યાય યોજના ગરીબી પર પ્રહાર તરીકે રહેશે. રાહુલ ગાંધીએ અનેક મુદ્દા ઉપર વાત કરી હતી. જો કે, તેઓએ મુખ્યરીતે નોટબંધી અને જીએસટી ઉપર ભાર મુક્યો હતો. રાહુલ ગાંધીએ છેલ્લા ઘણા સમયથી નોટબંધી અને જીએસટીના મુદ્દા ઉપર જ સરકારને ભીંસમાં લેવાના પ્રયાસો કર્યા છે. રાહુલે સમાચાર સંસ્થા સાથેની મુલાકાતમાં કહ્યું હતું કે, ગરીબ લોકોને તમામ લાભ મળે તે માટે મજબૂત રસ્તો કાઢવામાં આવશે.

Tags: EconomicGSTRahul Gandhi
Previous Post

શરાબ બધા લોકોને બરબાદ કરે છે : મોદીએ કરેલ ટકોર

Next Post

ત્રાસવાદી કેમ્પોને ફૂંકી મારી ભારતે તાકાત દર્શાવી : યોગી

Next Post

ત્રાસવાદી કેમ્પોને ફૂંકી મારી ભારતે તાકાત દર્શાવી : યોગી

જમ્મુ કાશ્મીર : પાંચ ખૂંખાર આતંકવાદીઓને ઠાર મરાયા

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri