• Latest
  • Trending

યુપીમાં ભાજપની સીટ ૭૪ થશે ૭૨ નહીં જ થાયઃઃ શાહ

8 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Monday, March 30, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

યુપીમાં ભાજપની સીટ ૭૪ થશે ૭૨ નહીં જ થાયઃઃ શાહ

મમતા, કોંગ્રેસ, બસપા, સપા તમામ પાર્ટીઓ એનઆરસી ઈચ્છે છે કે કેમ તે મામલામાં જવાબ આપેઃ અમિત શાહ

KhabarPatri News by KhabarPatri News
April 22, 2019
in ભારત, રાજનીતિ, લોકસભા 2019
0

ચંદોલીઃ ભાજપ અધ્યક્ષ અમિત શાહે આજે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને લઈને આક્રમક ચૂંટણી પ્રચારનો દોર જારી રાખ્યો હતો. ઉત્તરપ્રદેશમાં પોતાના અભિયાનને વધુ તીવ્ર બનાવીને અમિત શાહે આજે તેજાબી પ્રહારો કર્યા હતા. ભાજપ મોદી સરકારની સફળતાઓ અને સિદ્ધિઓને ગણાવીને લોકો પાસેથી મત માંગવામાં વ્યસ્ત છે.

ઉત્તરપ્રદેશના મુગલસરાઈમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જનસભાને સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે પ્રજા ૨૦૧૯માં પણ ભાજપને જ જીત અપાવશે. અમિત શાહે કહ્યું હતું કે બુઆ, ભતીજા અને રાહુલ મળી જાય તો પણ જીતી શકશે નહીં. અમિત શાહે જનસભા દરમિયાન જનતા સમક્ષ ઉત્તરપ્રદેશમાં ૭૪ સીટો જીતાડવા માટે અપીલ કરી હતી અને કહ્યું હતું કે ૨૦૧૯માં જીતનો રસ્તો યુપીમાંથી જ થઈને જશે. મોદી સરકાર ઉત્તરપ્રદેશના વિકાસ માટે સમર્પિત છે.

તે પહેલા લખનૌમાં કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહે પણ કહ્યું હતું કે વિકાસની દિશામાં મોદી સરકાર અતિ ઝડપથી આગળ વધી રહી છે. ઉત્તરપ્રદેશના ચંદોલી સ્થિત મુગલસરાઈ જંકશનના નવા નામાંકરણના પ્રસંગે આયોજિત જનસભામાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બહુજનસમાજ પાર્ટી પર અમિત શાહે આકરા પ્રહારો કર્યા હતા.

નેશનલ રજીસ્ટ્રાર ઓફ સિટીજનના મુદ્દા ઉપર બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપર પણ પ્રહાર કર્યા હતા. શાહે કહ્યું હતું કે ઉત્તરપ્રદેશમાં સપા, બસપા અને કોંગ્રેસ એકસાથે થઈ જશે તો પણ ભાજપની સીટો ૭૪ થશે પરંતુ ૭૨ થશે નહીં. અમિત શાહે ઉમેર્યું હતું કે સુપ્રિમ કોર્ટના આદેશ હેઠળ નરેન્દ્ર મોદી સરકારે એનઆરસી બનાવી છે. એનઆરસી દેશમાંથી, આસામમાંથી બાંગ્લાદેશી ઘુસણખોરોને શોધી શોધીને બહાર કાઢવાનું કામ કરી રહી છે. મમતા બેનર્જી કહે છે કે એનઆરસીની જરૂર નથી. કોંગ્રેસ કહે છે કે એનઆરસીની જરૂર નથી. તેઓ છેલ્લા ચાર દિવસથી રાહુલને પ્રશ્ને કરી રહ્યા છે કે આ દેશમાં એનઆરસીની જરૂર છે કે નહીં પરંતુ રાહુલ જવાબ આપવા તૈયાર નથી.

ભાજપ અધ્યક્ષે કહ્યું હતું કે મુગલસરાઈની ધરતી પરથી તેઓ સપા, બસપા અને કોંગ્રેસને પૂછવા માંગે છે કે બાંગ્લાદેશી ઘુસણખોરોને અહીં તેઓ રાખવા માંગે છે કે અહીંથી કાઢવા માંગે છે. ઉત્તરપ્રદેશની પ્રજાનો જવાબ તેઓ જાણે છે. એક પણ બાંગ્લાદેશી ઘુસણખોરોને રાખવા માટે લોકો ઈચ્છુક નથી. શાહે કહ્યું હતું કે મોદી બે બિલને લઈને આવનાર છે. જે પૈકી તમામ પછાતને ઓબીસી કમિશનલ હેઠળ બંધારણીય માન્યતા આપવામાં આવનાર છે. રાહુલ ગાંધીને અમારો પ્રશ્ન છે કે ઓબીસી બિલ પસાર કરવામાં કોંગ્રેસ સહાયતા કરશે કે કેમ, આ બાબત સ્પષ્ટ કરી દેશે કે કોંગ્રેસ પાર્ટી પછાત લોકોનું કલ્યાણ ઈચ્છે છે કે કેમ. તેઓ પછાત જાતિના તમામ લોકોને ખાતરી આપવા માંગે છે કે કોંગ્રેસ સમર્થન કરે કે ન કરે પરંતુ મોદી સરકાર બિલને પસાર કરીને પછાત વર્ગના તમામ લોકોને મોટુ સમ્માન આપવા જઈ રહ્યું છે. અમારા ભાઈ મનોજ સિંહા જે પૂર્વાંચલના વિકાસ માટે સમર્પિત છે. તેઓએ ડીએચયુની હોસ્પિટલને એમ્સની સમકક્ષ લાવીને કરોડો પૂર્વાંચલના લોકોને મોટી ભેટ આપી છે.

Tags: Amit ShahElection 2019PoliticsUttar Pradesh
Previous Post

વડાપ્રધાન મોદી દ્વારા ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક ૨૧મીએ વિધિવત રીતે બેન્ક લોન્ચ કરાશે

Next Post

ઈનડોનેશિયામાં  ફરી સાતથી વધુની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ

Next Post

ઈનડોનેશિયામાં  ફરી સાતથી વધુની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ

મોદીની ગુજરાત યાત્રાને લઈ આક્રમક તૈયારીઓ શરૂ થઈ

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri