• Latest
  • Trending

ગાંધીનગર ખાતે રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ‘એટ હૉમ’ કાર્યક્રમ યોજાયો

3 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Monday, March 30, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

ગાંધીનગર ખાતે રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ‘એટ હૉમ’ કાર્યક્રમ યોજાયો

KhabarPatri News by KhabarPatri News
August 18, 2023
in ગુજરાત, રાજનીતિ
0

૭૭ મા સ્વાતંત્ર પર્વની સંધ્યાએ રાજભવનના નવનિર્મિત મહર્ષિ દયાનંદ સભામંડપમાં આયોજિત એટ હૉમ-સ્નેહમિલન કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, આજે એવા વીર ક્રાંતિકારીઓની સ્તુતિ, સ્મરણ અને એમના ચરણોમાં વંદન કરવાનો આ અવસર છે, જેમનાં બલિદાનોને પરિણામે આજે આપણે સુખી અને સ્વતંત્ર ભારતમાં આનંદ કરી રહ્યા છીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ એ રાજ્યના આગેવાન નાગરિકો સાથે શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, આઝાદી પર્વ અને અન્ય રાષ્ટ્રીય પર્વોની ઉજવણી દ્વારા આપણે આપણી યુવા પેઢીને દેશના ક્રાંતિવીરોનો પરિચય કરાવીને તેમનામાં દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવાની આવશ્યકતા છે.

પ્રધાનમંત્રી મોદીના આહ્વાનથી ‘હર ઘર તિરંગા’ અને ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની ઉજવણીથી રાષ્ટ્રમાં દેશભક્તિનું વાતાવરણ સર્જાયું છે, અને આપણે આત્મગૌરવની અનુભૂતિ કરી રહ્યા છીએ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિવિધ ક્ષેત્રોના આગેવાન નાગરિકોને સંબોધતાં ‘એટ હૉમ’માં કહ્યું કે, દેશના અમૃતકાળના આરંભે આપણે વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવા અથાગ પ્રયત્નો કરવાનો સંકલ્પ લઈએ. ગુલામીની માનસિકતાની તમામ નિશાનીઓને નેસ્ત નાબૂદ કરીએ. આપણે વર્ષો પૂર્વે વિશ્વગુરુ રહી ચૂક્યા છીએ, વિશ્વને આપણે આપણો પરિવાર માનીએ છીએ.

ભારતની આવી મહાન વૈદિક પરંપરાની આપણે વિશ્વને અનુભૂતિ કરાવી છે. આપણા દેશની એકતા અને અખંડતા માટે સદાય પ્રયત્નશીલ રહીએ. રાષ્ટ્ર સર્વોપરી છે. એક ભારત-શ્રેષ્ઠ ભારતની વિભાવનાથી આપણે આપણા રાષ્ટ્રને મહાશક્તિ બનાવી શકીશું. આપણે આપણા કર્તવ્યનું દ્રઢતાપૂર્વક પાલન કરીએ અને શક્તિશાળી મહાન રાષ્ટ્રના નિર્માણ માટે સમર્પિત ભાવથી પ્રમાણિકતાપૂર્વક પ્રયત્નશીલ રહીએ. દેશભક્તિના ગીતોના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર, પંજાબના જગત વર્માજીએ રાષ્ટ્રભક્તિગીતો ગાઈને વાતાવરણને મંત્રમુગ્ધ કરી મૂક્યું હતું. સમારોહના સમાપને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાયક કલાકાર જગત વર્માજીનું સન્માન કરાયું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જેનું લોકાર્પણ કર્યું તે મહર્ષિ દયાનંદ સભામંડપ-હૉલમાં સૌપ્રથમ વખત આયોજિત ‘એટ હૉમ’-સ્નેહમિલન કાર્યક્રમમાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્યસભાના સભ્ય ડૉ. અમીબેન યાજ્ઞિક, ધારાસભ્ય મતી રીટાબેન પટેલ (ગાંધીનગર ઉત્તર), જયંતીભાઈ પટેલ (માણસા), મુખ્ય સચિવ રાજકુમાર, દક્ષિણ-પશ્ચિમ વાયુ કમાન્ડના એર ઑફિસર કમાન્ડિંગ ઈન ચીફ એર માર્શલ નર્મદેશ્વર તિવારી, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી, સેનાઓના વરિષ્ઠ અધિકારીઓ, ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ, પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂતો, રમતવીરો, સ્વાતંત્ર સેનાનીઓ, તેમના પરિવારજનો અને અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Tags: એટ હૉમ' કાર્યક્રમગાંધીનગરરાજભવનરાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
Previous Post

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને લઈને મૃત્યુ પામેલાઓને મોરારિબાપુ તરફથી શ્રદ્ધાંજલિ અને સહાય

Next Post

ખેડૂત ન્યાયયાત્રા ગાંધીનગર પહોંચે તે પહેલા પોલીસ એક્શનમાં..

Next Post

ખેડૂત ન્યાયયાત્રા ગાંધીનગર પહોંચે તે પહેલા પોલીસ એક્શનમાં..

રાહુલ ગાંધીની 'ભારત-જોડો-યાત્રા' પાર્ટ-૨ ગુજરાતના આ શહેરોથી શરૂ કરવાની ચાલી રહી છે વિચારણા

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri