ગત દિવસો દરમ્યાન ઉતરાખંડમાં ટનેલ હેઠળ 41 લોકો દબાઈ ગયા હતા અને તેમને બચાવવા માટે પ્રયાસો થયા હતા. છેલ્લા 17 દિવસોથી આખો દેશ જે ક્ષણની રાહ જોતો હતો તે ક્ષણ આવી પહોંચી હતી. ઉતરાખંડમાં ટનેલમાંથી 41 કર્મચારીઓ સલામત રીતે બહાર નીકળી ગયા હતા. આ ઘટનાને પૂજ્ય મોરારીબાપુએ પણ વધાવી લીધી છે. એમણે તમામ શ્રમિકો ને આશિષ આપ્યા છે. આ કર્મચારીઓ સલામત રીતે બહાર આવી જાય તે માટે સરકાર તરફથી જે પ્રયાસો થયા અને તેને પરિણામે આ 41 જીંદગી બચાવી લેવાઈ તે માટે સરકારને પણ પૂજ્ય મોરારીબાપુએ અભિનંદન પાઠવ્યા છે. મોત સામે ઝઝૂમતા આ હિંમતવાન એવા તમામ ૪૧ શ્રમિકોને મોરારિબાપુએ પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા 6,15,000 ની શુભેચ્છા રાશી અર્પણ કરી છે. આ રકમ શ્રમિકોના બેંક એકાઉન્ટ માં પહોચતી કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મજુરોના પરિવારજનોને પણ શુભેચ્છાઓ પાઠવી છે.
IM હેપ્પીનેસ ફાઉન્ડેશન ઘ્વારા ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટના સંસ્થાપકને HiRA એવોર્ડથી સન્માનિત
IM હેપ્પીનેસ ફાઉન્ડેશન, JG યુનિવર્સિટી અને ચિરિપાલ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે યુનાઇટેડ નેશન્સના હેપ્પીનેશ ઈન્ડેક્ષને ધ્યાનમાં રાખીને ઈન્ડેક્સ રેકગ્નિશન એવોર્ડ્સ...
Read more