જર્મન સરકારે એક મોટો ર્નિણય લીધો છે. ત્યાંના ગૃહ મંત્રાલયે કહ્યું છે કે તુર્કીથી ટ્રેનિંગ લઈને જર્મની આવતા ઈમામો પર પ્રતિબંધ રહેશે. અત્યાર સુધીની સિસ્ટમ અનુસાર, જર્મની તેની મસ્જિદોમાં તુર્કીના ઈમામની નિમણૂક કરે છે. જર્મની ધીમે ધીમે પોતાના દેશમાં ઈમામોને તાલીમ આપવાનું શરૂ કરશે. નવા કરાર મુજબ પશ્ચિમી શહેર દાલહેમમાં દર વર્ષે લગભગ ૧૦૦ ઈમામોને તાલીમ આપવામાં આવશે. આ તાલીમ ફક્ત તુર્કીની મદદથી જ હાથ ધરવામાં આવશે. જર્મની અહીં મુસ્લિમોમાં એકતા લાવવા માટે આવું કરી રહ્યું છે.. જર્મનીના ગૃહમંત્રી નેન્સી ફેસરે કહ્યું છે કે આપણને એવા ધાર્મિક નેતાઓની જરૂર છે જે આપણા દેશને જાણે, આપણી ભાષા બોલે અને આપણા મૂલ્યો માટે ઊભા હોય. આપણા દેશમાં મૌલવીઓની તાલીમ પછી જ આ શક્ય બનશે. આ ઇમામ ધીમે ધીમે લગભગ ૧,૦૦૦ મૌલવીઓનું સ્થાન લેશે. આ તમામ ૧૦૦૦ તુર્કીમાં તાલીમ લીધા બાદ બર્લિન ગયા હતા. જર્મનીમાં લગભગ ૫૫ લાખ મુસ્લિમો રહે છે. આ જર્મનીની કુલ વસ્તીના લગભગ ૭ ટકા છે.. જર્મનીમાં અંદાજે ૨,૫૦૦ મસ્જિદો છે. તેમાંથી ૯૦૦નું સંચાલન DITIB નામની સંસ્થા પાસે છે. DITIB તુર્કીમાં ધાર્મિક બાબતોની શાખા છે પરંતુ તેના પર વારંવાર તુર્કી સરકારના હાથ તરીકે કામ કરવાનો આરોપ છે. જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે ઘણા સમય પહેલા આપણા જ દેશમાં ઈમામને તાલીમ આપવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. મર્કેલનું માનવું હતું કે આ સાથે જર્મનીના લોકો વધુ સ્વતંત્રતા અનુભવી શકશે.
એનક્વાલા નેચર ઓ કેર અને જિમ લોન્જના સહયોગમાં ઓપ્ટિમાઇઝ IV દ્વારા અમદાવાદમાં પ્રથમવાર પર્સનાલિટી પેજન્ટ, કોમ્પિટિશનનું આયોજન
અમદાવાદ: આનંદનગર વિસ્તાર ખાતે આવેલા જીમ લોન્જ ખાતે 2 દિવસીય એટલે કે 10 અને 11મેનાં રોજ સ્ટારસ્ટ્રક દ્વારા અમદાવાદનાં પ્રથમ પર્સનાલિટી પેજન્ટનું ઓડિશન માટેની આયોજન...
Read more