અમદાવાદ: હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સમાધાનકારીરીતે ઉકેલી લેવા ખોડલધામના વડા નરેશ પટેલ સવારે અમદાવાદ પહોંચ્યા હતા. અહીં નરેશ પટેલે અન્ય ટ્રસ્ટીઓ સાથે પણ વાત કરી હતી. ત્યારબાદ તેમણે કહ્યું હતું કે, તેઓ હાર્દિકને પારણા કરવા વિનંતી કરવા માટે આવ્યા છે. આ માટે ઉમિયાધામ અને ખોડલધામ બંને સંસ્થા પણ પ્રયાસ કરશે. હાર્દિક પટેલ ઉપવાસ છોડે અને પારણાં કરે તેવો ખોડલધામના વડા નરેશ પટેલે આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, હાર્દિકની માંગણીઓ અને ભાવના લોકો સુધી પહોંચાડવા તેઓ ઇચ્છુક છે. હાર્દિકને મળવા માટે પણ મોડેથી નરેશ પટેલ પહોંચ્યા હતા.
IM હેપ્પીનેસ ફાઉન્ડેશન ઘ્વારા ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટના સંસ્થાપકને HiRA એવોર્ડથી સન્માનિત
IM હેપ્પીનેસ ફાઉન્ડેશન, JG યુનિવર્સિટી અને ચિરિપાલ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે યુનાઇટેડ નેશન્સના હેપ્પીનેશ ઈન્ડેક્ષને ધ્યાનમાં રાખીને ઈન્ડેક્સ રેકગ્નિશન એવોર્ડ્સ...
Read more