પાટણ નજીક અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાયઉતર ગુજરાત ના પાટણ નજીક ગઈકાલે અકસ્માત ની બે અલગ અલગ ઘટનાઓમાં પ્રાપ્ત અહેવાલો અનુસાર ૬ લોકોનાં અત્યંત કરુણ મોત નિપજયા છે. આઠથી વધુ લોકો ઘાયલ થયા છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે. શ્રી હનુમાનજી ની સાંત્વના રુપે પૂજ્ય મોરારીબાપુએ પ્રત્યેક મૃતકના પરિવારજનોને રૂપિયા પ્રત્યેકને રૂપિયા 15,000 લેખે કુલ મળી અને રૂપિયા 90,000 ની સહાયતા અર્પણ કરી છે. રામકથાના રાધનપુર સ્થિત શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે. આ કરુણ ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.
IPL કૌભાંડ પર ફિલ્મ બનશે, ફિલ્મમાં ગુજરાતનું ખાસ કનેક્શન
લેખક ફરાઝ એહસાનની બુક ફર્સ્ટ કોપીએ ક્રિકેટની સૌથી મશહુર ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન ચાલતા સટ્ટાને સંપૂર્ણ દેખાડશે. આ સમગ્ર કેસમાં...
Read more