• Latest
  • Trending

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો ૪૯મો દિક્ષાંત સમારોહ યોજાયો

8 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Monday, March 30, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો ૪૯મો દિક્ષાંત સમારોહ યોજાયો

૨૮૭૬૩ જુદી જુદી શાખાના સ્નાતક-અનુસ્નાતકોને પદવી એનાયત કરવામાં આવી

KhabarPatri News by KhabarPatri News
May 29, 2018
in ગુજરાત, ભણતર નું ચણતર
0

સુરત: રાષ્ટ્ર૫તિ રામનાથ કોવિંદે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ૪૯મા પદવીદાન સમારોહમાં સમગ્ર રાષ્ટ્રમાં ગરવી ગુજરાતની ઓળખ આપનાર એવા ૧૯મી સદીના રચનાત્મક પ્રણેતા કવિ નર્મદની વિચારધારાને જીવનમાં ઉતારી સમાજ, રાજય અને રાષ્ટ્રના સુદઢ નિર્માણમાં યુવાઓને સામર્થ્ય શક્તિ વડે વૈશ્વિક સ્તરે આગવી ઓળખ પ્રસ્થાપિત કરવા આહ્વાન કર્યું હતું.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે રાજયપાલ ઓ.પી.કોહલી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિવિધ વિદ્યાશાખામાં મેડલ મેળવનારા નવ જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને પદકો-પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા  હતા.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાયેલા સમારોહમાં દિક્ષાંત પ્રવચન આપતાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે,ગુજરાત એ એવી ધરતી છે, જયાં વીર નર્મદ જેવા સમાજ સુધારકોએ રાષ્ટ્રને આગવી ઓળખ આપી છે. ગુજરાત એ મહર્ષિ દયાનંદ સરસ્વતી,મહાત્મા ગાંધીજી અને  સરદાર વલ્લભભાઇ પટેલ જેવી વિભૂતિઓની જન્મભૂમિ છે. ગરવી ગુજરાતે મોરારજીભાઇ દેસાઇ અને નરેન્દ્રભાઇ મોદી જેવા કર્મઠ વડાપ્રધાન દેશને આપ્યા છે.

સુરત એ ગુજરાતનું આર્થિક પાટનગર છે, અને ગુજરાત એ દેશને વિકાસની દિશા ચીંધતું  ગ્રોથ એન્જિન છે. ગુજરાતના વિકાસ વગર ભારતનો વિકાસ અધૂરો છે. ટેક્ષ્ટાઇલ અને હીરાઉદ્યોગના ક્ષેત્રે આગવી નામના મેળવનાર સુરતે અંગદાન શહેર (ઓર્ગન ડોનેશન લાઇફ સિટી) ની નવી ઓળખ પ્રસ્થાપિત કરી છે,એમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ જણાવ્યું હતું.

રાષ્ટ્રપતિએ યુવાધનને નવા પડકારોનો સામનો કરીને સમાજ-દેશના હિત કાજે લક્ષ્યને હાંસલ કરવા આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે,રાષ્ટ્રના ઉત્થાન માટે નિર્ધારિત યુવાઓને સામર્થ્ય-શકિતથી રાષ્ટ્રહિતમાં યોગદાન આપવાની આવશ્યકતા છે. દેશના યુવાનો સમૃદ્ધ અને સશક્ત રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદાર બને તેમ પણ ઉમેર્યું હતું.

રાજયમાં શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સિદ્ધિઓની સરાહના કરતાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે,આ વિશ્વ વિદ્યાલયમાં દિકરીઓ અભ્યાસમાં અગ્રેસર રહી છે. ૧,૪૧,૦૦૦ વિદ્યાર્થીઓમાં ૮૨ હજાર દિકરીઓ છે, અને સંયોગ એવો છે કે, ૮૨ પદકોમાંથી ૭૧ પુરસ્કાર વિદ્યાર્થિનીઓને મળ્યા છે. આમ, દિકરીઓ તમામ ક્ષેત્રે આગળ વધી રહી છે તે દેશ માટે શુભસંકેત છે. જેમાં સમાજનું યોગદાન પણ વિશેષ રહ્યું છે. રાષ્ટ્રપતિએ વીર નર્મદ યુનિવર્સિટીના ૩પ હજાર જેટલા પછાતવર્ગના વિદ્યાર્થીઓને શિક્ષા પ્રદાન કરવાની વિશેષ બાબતની સરાહના કરી હતી.

રાજયપાલ ઓ.પી.કોહલીએ પદવીધારકોને કવિ નર્મદના ૧૯ મી સદીના સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક જાગૃતિના નવજાગરણ અભિયાનના અધૂરા કાર્યને પૂરા કરવાનું દાયિત્વ નિભાવવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પૂરું પાડવાનું વિશ્વ વિદ્યાલયોનું દાયિત્વ છે. આ ઉચ્ચ શિક્ષણ વિકાસના કાર્યોમાં સહાયરૂપ બને અને વિકાસશીલતાથી વિકસિત રાજય-દેશ બને એ દિશા નિશ્ચિત કરવા આગળ આવવાનું છે.

રાજયપાલએ વિશ્વ વિદ્યાલયો માળખાકીય સવલતો સાથે અને યુવાનો કૌશલ્યવર્ધક બને એવી સ્થિતિનું નિર્માણ કરવા આહવાન કર્યું હતું. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ન્યુ ઇન્ડિયા નિર્માણમાં યુવાશકિતના સામર્થ્ય-કૌશલ્યને જોડવા સંકલ્પ કર્યો છે, ત્યારે વિદ્યાલયો વિદ્યાર્થીઓને જ્ઞાનશકિત સાથે વિકાસશીલ નોલેજનો ખજાનો ધરી તેમની સ્કીલ ડેવલપ કરે તેવો અનુરોધ કર્યો હતો. તેમણે આદિવાસી વિસ્તારમાં શિક્ષણક્ષેત્રે થઇ રહેલી અનુકરણીય પહેલને પણ બિરદાવી હતી.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દિક્ષા મેળવનાર વિદ્યાર્થીઓને સમાજજીવનના આગલા પડાવમાં માનવ કલ્યાણના મૂલ્યોને મૂર્તિમંત કરી,સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાનો અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, યુવાનોએ પડકારો ઝીલીને ભારત સક્ષમ-શકિતશાળી બને, નયા ભારતનું નિર્માણ થાય એ દિશામાં આગળ વધવાનું છે. વિશ્વ વિદ્યાલયો આ પરિસ્થિતિનું નિર્માણ કરવા અગ્રેસર બની છે. તેમણે મેડલ અને પદવી મેળવનાર વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિહ ચુડાસમાએ જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ન્યુ ઇન્ડિયા વિઝનને સાકાર કરવા સુદઢ ભાવિનું નિર્માણ કરે એવા યુવાનો તૈયાર કરવા છે. વિશ્વની હરિફાઇમાં દેશનો યુવાન ટકી શકે એવી સ્થિતિનું નિર્માણ કરવું છે. સત્યતા, જવાબદારી, દેશભકિતની દાઝ હોય એવા યુવાધનને તૈયાર કરવાની દિશા સુનિશ્વિત કરવા તરફ પ્રયાણ કરવું છે તેમ જણાવી દક્ષિણ ગુજરાત યુનિવસિર્ટીને આ દિશા તરફ અગ્રેસર બનવા અનુરોધ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને મહાત્મા ગાંધી અને સરદાર પટેલના જીવનમૂલ્યોને જીવનમાં ઉતારવા અપીલ કરી હતી.

Tags: CM GujaratConvocation CeremonyPresident Of GujaratSouth GujaratVeer NarmadVijay Rupani
Previous Post

૪૯૯ માર્કસ સાથે ચાર વિદ્યાર્થીઓએ કર્યું ટોપઃ સીબીએસઈના દસમાં ધોરણનું પરિણામ જાહેર

Next Post

ઉર્દુ બાદ હવે તેલુગુમાં છપાશે મહાભારત

Next Post

ઉર્દુ બાદ હવે તેલુગુમાં છપાશે મહાભારત

વિંક ગર્લ પ્રિયા પ્રકાશ થઇ બેરોજગાર..!!

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri