સુરતમાં ફ્લેટધારકો સાથે બિલ્ડરે ઠગાઈ કરી હોવાની ઘટના સામે આવી છે. સુરતના બમરોલીમાં ૧૭૬ ફ્લેટધારકો સાથે બિલ્ડરે ઠગાઈ કરી છે. બિલ્ડરે ફ્લેટ પર રૂ.૧૦ કરોડની લોન લીધા બાદ હપ્તા ન ભરી છેતરપિંડી આચરી છે. રૂ.૧૦ કરોડની લોન લઇ બિલ્ડર રફુચક્કર થતાં ફ્લેટધારકો મુશ્કેલીમાં મુકાયા છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો સુરતના બમરોલીમાં બિલ્ડરે ફ્લેટ પર લોન લીધા બાદ લોન ન ભરતા ફ્લેટધારકોને બેંકે નોટિસ ફટકારી છે. બેંકે નોટિસ ફટકારતા ૧૭૬ ફ્લેટધારકોના જીવ તાળવે ચોટ્યા છે. ત્યારે આ મામલે CIDએ શ્લોક એન્ટરપ્રાઇઝ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
IM હેપ્પીનેસ ફાઉન્ડેશન ઘ્વારા ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટના સંસ્થાપકને HiRA એવોર્ડથી સન્માનિત
IM હેપ્પીનેસ ફાઉન્ડેશન, JG યુનિવર્સિટી અને ચિરિપાલ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે યુનાઇટેડ નેશન્સના હેપ્પીનેશ ઈન્ડેક્ષને ધ્યાનમાં રાખીને ઈન્ડેક્સ રેકગ્નિશન એવોર્ડ્સ...
Read more