• Latest
  • Trending

NSUI એ BRTS ને બંધ કરાવીને દેખાવો કરાયા

6 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Sunday, March 29, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

NSUI એ BRTS ને બંધ કરાવીને દેખાવો કરાયા

લો ગાર્ડન સહિતના વિસ્તારોમાં બસો બંધ કરાવાઇ

KhabarPatri News by KhabarPatri News
November 23, 2019
in અમદાવાદ, ગુજરાત
0

પાંજરાપોળ ચાર રસ્તા પર બીઆરટીએસની ટક્કરે બે સગા ભાઈઓના મોતની ચકચારી અને હૃદયદ્રાવક દુર્ઘટનાના વિરોધમાં ગઈકાલે  એનએસયુઆઇ દ્વારા અમદાવાદ શહેરમાં બીઆરટીએસ બસ બંધનું એલાન આપવામાં આવ્યું તું અને એનએસયુઆઇના હજારો કાર્યકરો શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ગો પર ઉતરી આવ્યા હતા અને બીઆરટીએસ બસને બંધ કરાવી બંધના એલાનને સફળ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. એનએસયુઆઇના કાર્યકરોએ આજે શહેરના ગુજરાત યુનિવર્સિટી, લો ગાર્ડન સહિતના વિવિધ વિસ્તારોમાં બીઆરટીએસ બસોને બંધ કરાવી હતી.

સેંકડો કાર્યકરોએ રસ્તા રોકી, બીઆરટીએસ બસની છત પર ચડી જઇ અને ટાયરોની હવા કાઢી નાંખી બીઆરટીએસ બસો બંધ કરાવી હતી. પોલીસે પણ ઉશ્કેરાયેલા એનએસયુઆઇના કાર્યકરોને એક તબક્કે ટીંગાટોળી અટકાયત કરવી પડી હતી, જેને પગલે મામલો ગરમાયો હતો. એનએસયુઆઇના કાર્યકરોએ નાગરિકોની સુરક્ષા માટે બીઆરટીએસ કોરિડોર તાત્કાલિક ધોરણે હટાવવાની માંગ સાથે જોરદાર સૂત્રોચ્ચાર અને વિરોધ-દેખાવો યોજયા હતા.

ગઇકાલે શહેરના પાંજરાપોળ ચાર રસ્તા પાસે બીઆરટીએસ બસની ટક્કરે બે સગા ભાઇઓના મોતના અકસ્માત પછી ડ્રાઈવર બસ મૂકી ભાગી છૂટ્યો હતો. પરંતુ તેની મોડી રાત્રે ધરપકડ કરાઈ હતી. અકસ્માતને પગલે આજે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા (એનએસયુઆઈ)એ બંધનું એલાન આપ્યું હતું. જેમાં ગુજરાત યુનિવર્સિટી પાસે એનએસયુઆઈના કાર્યકરોએ બસોને રોકાવી હતી.

ઘટના સ્થળે પહોંચીને પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. જ્યારે એનએસયુઆઈ દ્વારા લો ગાર્ડન સહિતના વિસ્તારોમાં પણ બસો રોકવામાં આવી હતી અને ટાયરોમાંથી હવા કાઢી દેવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીના બીઆરટીએસ બસ સ્ટોપ પાસે એનએસયુઆઈના કાર્યકરોએ હલ્લાબોલ કર્યો હતો અને ત્યાંથી પસાર થતી બસોને રોકાવી હતી. તો કેટલાક એનએસયુઆઇ કાર્યકરો બસ પર ચડી ગયા હતા અને બસ વ્યવહાર ખોરવી દીધો હતો.

જેને પગલે ત્યાં દોડી આવેલી યુનિવર્સિટી પોલીસે એનએસયુઆઈ કાર્યકરોને વિરોધ પ્રદર્શન કરતા અટકાવ્યા હતા. જો કે તેઓ નહી માનતા આખરે પોલીસે ટીંગાટોળી કરીને પ્રદર્શનકારીઓને અટકાયત કરી હતી. પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી. બીઆરટીએસ બસ દ્વારા અકસ્માતથી ખફા એનએસયુઆઈએ સવારે બસો બંધ કરાવવાનું શરૂ કરતાં શહેરના લો ગાર્ડન પાસે મુસાફરો રઝળી પડ્‌યા હતા.

Tags: AhemdabadBRTSBus AccidentHit and RunNSUIPanjarapoleProtestRoad Accident
Previous Post

રેલવેના ખાનગીકરણની કોઇ યોજના નથી : પીયુષ ગોયેલ

Next Post

જાન્હવી અને અર્જુનને લઇને ફિલ્મ બનાવવા માટે તૈયારી

Next Post

જાન્હવી અને અર્જુનને લઇને ફિલ્મ બનાવવા માટે તૈયારી

હાથમાં બીપીમાં અંતરના હાર્ટના ખતરા સાથે સંબંધ

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri