• Latest
  • Trending

જગન્નાથજીનો જયેષ્ઠાભિષેક સંપન્ન : પ્રભુ હવે મોસાળમાં

7 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Sunday, March 29, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

જગન્નાથજીનો જયેષ્ઠાભિષેક સંપન્ન : પ્રભુ હવે મોસાળમાં

ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલરામના જયેષ્ઠાભિષેક માટે ભવ્ય જળયાત્રા નીકળી : ભકિતનો છવાયેલો માહોલ

KhabarPatri News by KhabarPatri News
June 18, 2019
in અમદાવાદ, ગુજરાત, ધાર્મિક
0

  અમદાવાદ : અમદાવાદ શહેરમાં આગામી તા.૪ જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની ૧૪૨મી ઐતિહાસિક અને પરંપરાગત રથયાત્રા નીકળનાર છે ત્યારે આજે જેઠ સુદ પૂનમ તા.૧૭મી જૂનના રોજ ભગવાન જગન્નાથજીની ભવ્ય જળયાત્રા નીકાળવામાં આવી હતી. શણગારેલા ગજરાજા અને પચરંગી ધજા-પતાકાઓ સાથે ૧૦૮ કળશને લઇ નીકળેલી જળયાત્રા સોમનાથ ભુદરના આરે પહોંચી હતી, જયાં મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગંગાપૂજન કરી નદીનું પવિત્ર જળ ૧૦૮ કળશમાં ભર્યું હતું.

આ પ્રસંગે શહેરના મેયર શ્રીમતી બીજલબહેન પટેલ પણ હાજર રહ્યા હતા. પવિત્ર નદીઓના જળને કળશમાં ગ્રહણ કર્યા બાદ જળયાત્રા નિજમંદિરે વાજતે ગાજતે પરત ફરી હતી. બાદમાં ભારે ભકિતભાવ અને શા†ોકત વિધિ સાથે ષોડસોપચાર પૂજનવિધિ વચ્ચે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામની જયેષ્ઠાભિષેક(મહાજળાભિષેક) વિધિ સંપન્ન કરવામાં આવી હતી. ભગવાનના જયેષ્ઠાભિષેક બાદ ભગવાન જગન્નાથજી અને ભાઇ બલરામને સુંદર અને મનમોહક ગજવેશ ધારણ કરાવવામાં આવ્યો હતો. સમગ્ર વર્ષમાં આ એક જ દિવસ એવો હોય છે કે જયારે ભગવાનને ગજવેશ ધારણ કરાવવામાં આવે છે અને તેથી પ્રભુના ગજવેશ શણગારના દર્શન માટે  જગન્નાથજી મંદિર ખાતે હજારો શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા અને જય જગન્નાથના નારાજ લગાવ્યા હતા. આ સાથે જ આજથી જેઠ સુદ પૂનમથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામજી સરસપુર ખાતેના તેમના મોસાળમાં પંદર દિવસ માટે રહેવા ગયા હતા.

અમદાવાદના જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજી મંદિરેથી આજે જેઠ સુદ પુનમના દિવસે વહેલી સવારે નીકળેલી જળયાત્રામાં શણગારેલા ગજરાજા, ૧૦૮ પવિત્ર કળશ, ૧૫૧ ધ્વજ પતાકા, બેન્ડવાજા અને  સેંકડો શ્રધ્ધાળુ ભકતો જાડાયા હતા. જળયાત્રા સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરે જળ ભરવા માટે આવી પહોંચી હતી. જયાં મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર શ્રીમતી બીજલબહેન પટેલ સહિતના મહાનુભાવોએ ગંગાપૂજન કરી નદીની આરતી ઉતારી હતી અને ત્યારબાદ નદીમાં પવિત્ર જળના ૧૦૮ કળશ ભર્યા હતા. ત્યારબાદ જળયાત્રા વાજતેગાજતે નિજમંદિરે પરત ફરી હતી અને બાદમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામનો ષોડસોપચાર પૂજનવિધિ સાથે જયેષ્ઠાભિષેક કરવામાં આવ્યો હતો. એ પછી ભગવાનને ગુલાબજળ, ગંગાજળ અને કેસરનું સ્નાન કરાવાયું હતું. ત્યારબાદ પ્રભુને દૂધ, દહીં, ઘી, મધ અને સાકર એમ પંચામૃતનું સ્નાન પણ કરાવાયું હતું.

એ પછી ભગવાનને ચંદનથી વિશેષ સ્નાન કરાવાયું હતું અને ફરી છેલ્લે શુધ્ધોદક સ્નાન કરાવી ભગવાનની જયેષ્ઠાભિષેક વિધિ સંપન્ન કરવામાં આવી હતી. ભગવાનના જયેષ્ઠાભિષેક બાદ ભગવાન જગન્નાથજી અને ભાઇ બલરામને અતિસુંદર અને મનમોહક એવો ગજવેશ(ગણપતિના સ્વરૂપનો) શૃંગાર કરવામાં આવ્યો હતો, જેને નિહાળવા મંદિરમાં હજારો શ્રધ્ધાળુ ભકતોએ આજે પડાપડી કરી હતી. મંદિરમાં જય જગન્નાથ, જય જગન્નાથ…મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે..ના ભકિતનારા લાગ્યા હતા, જેને લઇ સમગ્ર વાતાવરણ ભકિતમય બની રહ્યું હતું. ભગવાનના ગજવેશ દર્શન બાદ ભગવાન જગન્નાથજીના નિગ્રહના દર્શન જ ઉપલબ્ધ બનાવાયા હતા, એટલે કે ભગવાનની પ્રતિમાના સ્થાને તેમના ફોટો મુક્વામાં આવ્યા હતા.

માન્યતા અનુસાર ભગવાન જગન્નાથજી મામાને ઘેર ગયા હોવાથી તેમના દર્શન થઈ શકતા નથી. આજે ભગવાનની પ્રતિકૃતિ સ્વરૂપ ઝાંખીના દર્શન થાય તે હેતુથી વાજતે ગાજતે, બેન્ડવાજા અને બગી ગાડી સાથે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલભદ્રની શોભાયાત્રા પણ નીકાળવામાં આવી હતી. સાંજે છ વાગ્યે વાજેત ગાજતે અને રંગેચંગે ભગવાન જગન્નાથજીએ સરસપુરના રણછોડરાયજી મંદિરસ્થિત પોતાના મોસાળમાં પધરામણી કરી હતી. તા.૧૭મી જૂનથી તા.૨ જૂલાઇ દરમ્યાન ભગવાન મોસાળમાં જ રહેશે. મોસાળથી ભગવાન પરત નિજમંદિરે આવ્યા બાદ અષાઢી બીજના રોજ ભગવાનના દર્શન થશે અને એ દિવસે જગન્નાથજી બહેન સુભદ્રાજી, ભાઇ બલભદ્ર સાથે લોકોના ખબર અંતર કાઢવા  નગરયાત્રાએ નીકળશે.

Tags: Jagannath Templerathyatrareligious
Previous Post

કસ્ટમર સાથે સેક્સ ન કરવા પર બાર ડાંસરને માર મરાઈ

Next Post

શાહ રથયાત્રા પ્રસંગે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરશે

Next Post

શાહ રથયાત્રા પ્રસંગે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરશે

બ્લેક મન્ડે : સેંસેક્સમાં ૪૯૧ પોઈન્ટનો ઉલ્લેખનીય ઘટાડો

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri