ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ મામલે હવે જેગુઆર કંપનીનો UKથી રિપોર્ટ આવ્યો છે. રિપોર્ટમાં અનેક ખુલાસા થયા છે. અકસ્માત સમયે ગાડી ૦.૫ સેકન્ડમાં જ લોકો પર ફરી વળી હતી. તેમજ ગાડીની સ્પીડ ૧૩૭ થી વધુની હતી અને અકસ્માત કર્યા બાદ ૧૦૮ KM સ્પીડે ગાડી લોક થઈ ગયાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અકસ્માત સમયે આરોપી તથ્ય પટેલે ગાડીમાં બ્રેક પર પગ મૂક્યો ન હોવાનું પણ રિપોર્ટમાં સામે આવ્યું છે. તો આરોપી તથ્ય પટેલના DNA પ્રોફાઈલનો રિપોર્ટ સાંજ સુધી આવશે.
પોઈચા અને અન્ય અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય
હાલમાં સુરત સ્થિર થયેલા અને મૂળ અમરેલી જિલ્લાના પરિવાર સાથે કરુણ દુર્ઘટના બની હતી. નર્મદા નદીના પોઈચા ખાતે આ પરિવાર...
Read more