• Latest
  • Trending

૧ લી મે સ્થાપના દિવસે ભરૂચ ખાતે મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી ત્રણ મહત્વની યોજનાઓનો પ્રારંભ કરાવશે

8 years ago

ઈન્ડોનેશિયામાં પૂર પ્રકોપને લીધે માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

2 years ago

‘ઉમરાવ જાન અદા: ધ વેસ્ટન્ડ મ્યુઝિકલ’ ઇતિહાસ રચશે, જેનું પ્રીમિયર અમદાવાદના એક ઓપન થિયેટરમાં યોજાયું હતું

2 years ago

અમદાવાદ શીશીગૃહ પાલડીમાં રહેતા અનવીતને મળ્યા માતા-પિતા

2 years ago

કોન્ફેડરેશન ઓફ વુમન આંત્રપ્રિન્યોર્સ ઓફ ઇન્ડિયા (COWE) દ્વારા સ્વાભિમાન મેલા “નારી પ્રાઇડ & પાવર” 2024નું આયોજન

2 years ago

Samsung Expands its Retail Presence in Bengaluru; Inaugurates its Second Premium Experience Store inThe Mall of Asia

2 years ago

જાણીતા ડેવલોપર્સ સ્વરા ગ્રુપે સફળતાને સેલિબ્રેટ કરવા માટે ‘સ્વરોદય’ કાર્યક્રમનું આયોજન

2 years ago

Calorx Olive International School એ કલા, વિજ્ઞાન,ગણિત તથા ઇતિહાસના પ્રોજેક્ટ ઘ્વારા વિધાર્થીઓના વિકાસમાં ઉમેરો કર્યો

2 years ago

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા સ્કૂલના નિર્માણ માટે ‘મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે’ લાઈવ કોન્સર્ટનું આયોજન થયું

2 years ago

પેકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ક્રાંતિકારી પ્લેટફોર્મ એટલે ઇનપેકેજિંગ

2 years ago

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

2 years ago

મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા ભુજમાં લગભગ 2000 મહિલાઓ સુધી નિદાન સેવાઓ પહોંચી

2 years ago

Valvoline™ ગ્લોબલ ઇન્ડિયા એ  ‘મિકેનિક્સ મેક ધ વર્લ્ડ બેટર’ થીમ સાથે મિકેનિક્સના મંથ કેમ્પેઇનની ચોથી એડિશનની શરૂઆત કરી

2 years ago

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

2 years ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Monday, March 30, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • Login
Khabarpatri
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result

૧ લી મે સ્થાપના દિવસે ભરૂચ ખાતે મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી ત્રણ મહત્વની યોજનાઓનો પ્રારંભ કરાવશે

ભરૂચની ઐતિહાસિક વિરાસત ઉજાગર કરતો ‘ભવ્‍ય ભરૂચ' ભવ્‍યાતિભવ્‍ય સાંસ્‍કૃતિક કાર્યક્રમ યોજાશે

KhabarPatri News by KhabarPatri News
April 27, 2018
in ગુજરાત
0

ભરૂચઃ:- ૧ લી મે સ્‍થાપના દિવસ અને ગુજરાત ગૌરવ  દિવસની ઉજવણી ભરૂચ ખાતે ભવ્યાતિભવ્ય રીતે થશે. જેના માટેની સંપુર્ણ તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હોવાનું ભરૂચ કલેકટર રવિ કુમાર અરોરાએ જણાવ્‍યું છે. ગુજરાત ગૌરવ દિવસ ઉજવણી અવસરે મુખ્યમંત્રી સુજલામ સુફલામ જળસંચય અભિયાન, મુખ્યમંત્રીમંત્રી એપ્રેન્ટીશશીપ યોજના, એલએનજી અને એલપીજી યોજનાનો રાજયવ્યાપી પ્રારંભ કરાવશે.

ભરૂચ કલેકટર ઓફિસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કલેકટરએ જણાવ્‍યું હતું કે, ૧ લી મે સ્થાપના દિવસ અને ગુજરાત ગૌરવ દિવસ ઉજવણી અવસરે ભરૂચ ખાતે યોજનારા કાર્યક્રમમાં મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી ત્રણ મહત્વાકાંક્ષી યોજનાઓનો પ્રારંભ કરાવશે. અંકલેશ્વર તાલુકાના કોસમડી તળાવ ખાતે મુખ્‍યમંત્રીની  સવારે ૮-૩૦ વાગે અંકલેશ્વર ખાતે સુજલામ સુફલામ જળ અભિયાનનો કોસમડી તળાવ ખાતે શ્રમદાન કરી, રાજયવ્યાપી પ્રારંભ કરાવશે. ૨૭ હેકટર તળાવમાં અઢીલાખ લીટર પાણી છે. તળાવને ઉડું કરીને ૧૭ કરોડ લીટર પાણીનો સંગ્રહ કરવાનું આયોજન છે. જેનાથી છ ગામના લોકોને પીવાનું પાણી મળી રહેશે.

મુખ્‍યમંત્રી તેમજ સવારે ૧૦-૩૦ વાગે કબીરવડ વિકાસ પરિયોજના હેઠળ યાત્રાધામ શુકલતીર્થ ખાતે નદીના પટમાં ધોવાણ અટકાવવા અને પર્યાવરણ જતન માટે સામુહિક વૃક્ષારોપણ તેમજ શુકલતીર્થ, કબીરવડ, મંગલેશ્વર અને અંગારેશ્વર યાત્રાધામોના વિકાસ માટે રૂા.૪૦ કરોડના પ્રોજેકટનો પ્રારંભ કરાવશે. શુકલતીર્થ ખાતે બે કિમી વિસ્‍તારમાં સફાઇ સેવાભાવી સંસ્થાઓ આઠ દિવસ અભિયાન કરશે અને વૃક્ષારોપણ પણ થશે.

કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે, ભરૂચ હોશ્ટેલ ગ્રાઉન્‍ડ ખાતે બપોરે ૧૨ વાગે મુખ્‍યમંત્રી એપ્રેન્ટીશશીપ યોજનાનો પ્રારંભ મુખ્યમંત્રીના હસ્ત થશે. જેમાં ભરૂચ જિલ્લાના પાંચ હજાર યુવાનોને ખાનગીક્ષેત્રમાં એપ્રેન્ટીસનો લાભ આપવામાં આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રીના હસ્‍તે પીએનજી/એલપીજી યોજના હેઠળ ૬પ૦ અને પ્રધાનમંત્રી ઉજ્જલા યોજના હેઠળ જિલ્લાના બે હજાર લાભાર્થીઓને લાભ આપવામાં આવશે.  ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી ઉજ્જલા યોજના હેઠળ પ૭ હજાર ઉપરાંત લાભાર્થીઓને ગેસ જોડાણ આપવામાં આવ્‍યા છે. હોસ્‍ટેલ ગ્રાઉન્ડ ખાતે વાયબ્રન્ટ ભરૂચ પ્રદર્શનનું પણ આયોજન થયું છે.

રાજયપાલ ઓ.પી.કોહલી અને મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી સાંજે પ-૦૦ વાગે ઝાડેશ્વર સાંઇ મંદિર ખાતે પોલીસ પરેડ અને અને ગુજરાત ગૌરવયાત્રાને ફલેગ ઓફ કરાવશે. ગૌરવયાત્રામાં પોલીસ અધિકારીઓ/કર્મચારીઓની પોલીસ વિભાગની ૨૪ પ્લાટુનો ભાગ લેશે. જેમાં ચેતક કમાન્ડો, અશ્વદળ પ્લાટુન, મોટર સાયકલ સ્ટન્ટન્‍ટ, આદિવાસી નૃત્ય મંડળીઓ અને વિવિધ જિલ્લામાંથી આવેલા નવ બહેન્ડ પ્લાટુનો ભાગ  લેશે. બે કિમીની ગૌરવયાત્રામાં ૧૫૦૦ જેટલા પોલીસ અધિકારી/કર્મચારીઓ સહિત આદિવાસી નૃત્યમંડળીના કલાકારો ભાગ લેશે.

ભરૂચની ઐતિહાસિક વિરાસત અને ભરૂચની સંસ્કૃતિને ઉજાગર કરતા ભવ્યાતિભવ્ય ભવ્ય ભરૂચ સાંસ્કૃતિક કાર્યક્રમ કૃષિ યુનિવર્સિટી મેદાન ખાતે સાજં ૭ વાગે કાર્યક્રમ યોજાશે. જેમાં ભરૂચમાં નામના મેળવી હોય એવા નામાંકિતોનું રાજયપાલ ઓ.પી.કોહલી અને મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીના હસ્તે સન્માનિત કરવામાં આવશે. ‘ભવ્ય ભરૂચ’ થીમ આધારિત કાર્યક્રમમાં ગુજરાત અને ભરૂચની વિરાસતને ઉજાગર કરતો કાર્યક્રમ રાજયના સાંસ્કૃતિક વિભાગ દ્વારા થશે. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાની જનતાને ભાગીદાર બનવા કલેકટર રવિ કુમાર અરોરાએ અપીલ કરી છે.

ઉલ્લેખનિય છે કે, ગુજરાત ગૌરવ દિવસ ઉજવણી અવસરે ભરૂચ જિલ્લામાં રૂા.૨૧૦ કરોડ ઉપરાંતના વિકાસકામોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ અને જાહેરાત કરવામાં આવી રહી છે. ગુજરાત ગૌરવ દિવસ ઉજવણી અવસરે ભરૂચ શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહયું છે. માતરીયા તળાવ ખાતે લેશર શોનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર ૩૦ મીએ સાહિત્ય કલા સંમેલનમાં ભરૂચની વિરાસત, કવિ સંમેલન, ભવાઇ કાર્યક્રમ પંડિત ઓમકારનાથ ભવન ખાતે યોજાશે.  સાંજના ૭-૩૦ વાગે મશાલ રેલી  ઝાડેશ્વર તળાવ ખાતે યોજાશે.  ૨૮ થી ૩૦ દરમિયાન શષા પ્રદર્શન સવારે ૧૧ થી સાંજના ૭ વાગ્‍યા દરમિયાન ગુડવીલ હાઇસ્કુલ શ્રવણ ચોકડી ખાતે યોજાશે. ભરૂચ શહેરમાં સૌ પ્રથમવાર યોજાઇ રહેલા શષા પ્રદર્શનમાં આધુનિક શષા પ્રદર્શન સાથે લોકોને માહિતગાર પણ કરવામાં આવશે.

Tags: BharuchGujarat CMGujarat DivasVijay Rupani
Previous Post

આધારકાર્ડને મોબાઈલ સાથે લીંક કરવું ફરજીયાત નથી :  સુપ્રીમકોર્ટની ટકોર

Next Post

સિંહના સ્થળાંતર બાબતે વિવિધ પાસાં પર અભ્યાસ પછી જ તે યોગ્ય વિકલ્પ બની શકે 

Next Post

સિંહના સ્થળાંતર બાબતે વિવિધ પાસાં પર અભ્યાસ પછી જ તે યોગ્ય વિકલ્પ બની શકે 

યુગપત્રી – ૧૧

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Ad

  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Social icon element need JNews Essential plugin to be activated.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
  • લોકસભા ચૂંટણી 2024

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri