પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાધીશ મંદિરના શિખર પર અલગ અલગ ૬ ધ્વજા લહેરાવામાં આવી. વાવાઝોડાને લીધે જે ભાવિકોની ધ્વજા મંદિરના શિખર પર ચડાવાઈ શકી ન હતી. જેના કારણે હવે દરરોજ ૧૫ દિવસ સુધી ૫ને બદલે ૬ ધ્વજા ચઢાવવામાં આવશે. સવારે ૪ ધ્વજા અને સાંજે ૨ ધ્વજા મંદિરે ચઢાવાશે.દ્વારકાધીશ મંદિર પર દરરોજ જુદા જુદા ભક્તો દ્વારા પાંચ ધ્વજા ચઢાવવામાં આવે છે. બિપરજોય વાવાઝોડાના સંદર્ભે ભાવિકોની ધ્વજા મંદિરના શિખર ઉપર ચડી શકી ન હોતી. તેથી હવે વેઈટિંગ લિસ્ટમાં રહેલા લોકોની ધ્વજા ચઢાવાની મનોકામના પુરી થશે અને ૧૫ દિવસ સુધી રોજ ૬ ધજા ચઢાવવામાં આવશે. દરરોજ સવારે ત્રણ અને સાંજે બે એમ પાંચ ધ્વજા ચઢાવાતી હતી. જે હવે સવારે ચાર અને સાંજે બે એમ કુલ છ ધ્વજા મંદિરના શિખર પર ચઢાવવામાં આવશે.
આનંદ પંડિત અને વૈશલ શાહની નવી ગુજરાતી ફિલ્મ – ફક્ત પુરુષો માટે
વર્ષ 2022 અને 2023 માં અનુક્રમે કૌટુંબિક મનોરંજક ફિલ્મો 'ફક્ત મહિલા માટે' અને 'ત્રણ એક્કા' ની જબરજસ્ત સફળતા બાદ નિર્માતા...
Read more