વડોદરામાં ફૂડ એન્ડ સેફ્ટી વિભાગની પનીર ઉત્પાદકો પર તવાઇ યથાવત જોવા મળી છે. વડોદરામાં ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા ફતેહગંજ, નિઝામપુરા, કલાલી, અટલાદરા, આજવા રોડ, મકરપુરા વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા ૨ ફૂડ વેન્ડિંગ, ૨૯ રેસ્ટોરન્ટ, ૧૫ ડેરી યુનિટમાં તપાસ બાદ ૨૬ નમૂના લેવાયા હતા. ૧૬ ફૂડ વિક્રેતાઓને શિડ્યુલ ૪ અંતર્ગત નોટિસ ફટકારવામાં આવી છે. છેલ્લા ૪ દિવસમાં પનીરના વધુ ૨૬ નમૂના લેબ તપાસ માટે મોકલાયા છે. છેલ્લા ૪ દિવસમાં પનીરના વધુ ૨૬ નમૂના લેબ તપાસ માટે મોકલાયા છે. લાઇસન્સ વગર ધમધમતી ૯ પેઢીઓને બંધ કરવામાં આવી છે. પનીર ઉત્પાદકો પર આગામી દિવસોમાં પણ કાર્યવાહી યથાવત રહેશે.
ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકમાં દિવ્યાંગો,૮૦ વર્ષથી મોટી ઉંમરના વડીલોને વાહનની સુવિધા મળશે
સુવિધા માટે ૦૭૯૨૯૦૯૩૩૭૪/૦૭૯૨૩૨૫૯૦૭૪ નંબર જાહેર કરાયો ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર ૦૭,મેના રોજ મતદાન થશે. આ અવસરે ગાંધીનગર ઉત્તર...
Read more