માર્ચ માસ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮નો છેલ્લો માસ હોવાથી દસ્તાવેજ નોંધણીની કામગીરીમાં વધારો થયો છે. તેમજ દસ્તાવેજ નોંધણીના કાર્યભારણને જોતાં અરજદારોની સગવડતા જળવાઇ રહે તે સારૂ દસ્તાવેજ નોંધણીની કામગીરીનો સમય વધારવાની આવશ્યકતા જણાય છે, જેથી ગુજરાત રજીસ્ટ્રેશન નિયમો-૧૯૭૦ના નિયમ-૬ અન્વયે ૩૧/૦૩/૨૦૧૮ સુધી દસ્તાવેજ નોંધણીની કામગીરીનો સમય હાલના સવારના ૧૦:૩૦ થી સાંજના ૦૫:૦૦ કલાકને બદલે સવારના ૧૦:૦૦થી શરૂ કરી સાંજના ૦૬:૧૦ કલાક સુધી કરવામાં આવે છે, એમ નોંધણી સર નિરીક્ષકની કચેરી દ્વારા જણાવાયું છે.
પૂનમબેન માડમે સાંસદની ફરજ બહાર જઈને જામનગર-દ્વારકાના લોકોની કરી મદદ
જામનગર લોકસભાથી સાંસદ દિગ્ગજ નેતા અને હાલારના દીકરી એટલે પૂનમબહેન માડમ. હાલારની ધરતી તરીકે ઓળખાતા જામનગર-દેવભૂમી દ્વારકાની જનતાની વચ્ચે આ...
Read more