રાજકોટમાં ૧ અને ૨ જૂને બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. ત્યારે આ દિવ્ય દરબારને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ માટે ૩૨ કમિટી તૈયાર કરવામાં આવી છે. ૩ હજારથી વધુ સ્વયંસેવકો તહેનાત કરવામાં આવશે. સૌથી વધારે સ્વયંસેવકો ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થામાં ખડેપગે રહેશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્ટેજની નજીક ૩૦૦ જેટલા સ્વયંસેવકો સુરક્ષા પૂરી પાડશે. આ ઉપરાંત ટ્રાફિક પોલીસ અને વહીવટી વિભાગના અધિકારીઓની પણ મદદ લેવાશે.તો રાજકોટમાં દિવ્ય દરબાર પહેલા ૨૯મી તારીખે શહેરના રાજમાર્ગો પરથી ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રામાં સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ ભાગ લેશે. લક્ઝરિયસ કારનો કાફલો રાજમાર્ગો પરથી પસાર થશે.
સાંસદ પૂનમબેન માડમે કાર્યકર્તાઓને કરી ખાસ અપીલ
ચૂંટણી પ્રક્રિયાઓને વેગ આપવા માટે જામનગર સંસદીય મતવિસ્તારના ચાર મુખ્ય વિધાનસભા મતવિસ્તારોમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય (કેન્દ્રીય ચૂંટણી કાર્યાલયો) નું ઉદ્ઘાટન...
Read more