અમદાવાદ : પોલીસ કંટ્રોલ રૂમના ડીસીપી વિજય પટેલે જણાવ્યુ હતું કે, શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે સૌથી મોટો પોલીસ કંટ્રોલ રૂમ શરૂ થવાનો છે. શહેરનાં મોટાભાગનાં જકંશન પર એક હજાર એએનપીઆર કેમેરા લગાવવાના છે. આ કેમેરાની ખાસિયત એ છે કે જો કોઇ વાહન ચાલક ટ્રાફિક સિગ્નલનો ભંગ કરશે તો ઓટોમેટિક જનરેટ થઇ જશે અને તેને ઇ મેમો મળી જશે. ઉલ્લેખનીય છેકે ગત વર્ષે પોલીસે વાહન પર એએનપીઆર સિસ્ટમ સાથેનો કેમેરા લગાવી પ્રયોગ કરવામાં આવ્યો હતો. શહેરના કેટલાક રસ્તા પર આ વાહન એક કલાક માટે ફેરવવામાં આવ્યું હતું, જેમાં કેમેરામાં ઇ મેમો ન ભરાયાં હોય તેવાં ૯૦ વાહન ઓળખી લીધાં હતાં.
પોઈચા અને અન્ય અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય
હાલમાં સુરત સ્થિર થયેલા અને મૂળ અમરેલી જિલ્લાના પરિવાર સાથે કરુણ દુર્ઘટના બની હતી. નર્મદા નદીના પોઈચા ખાતે આ પરિવાર...
Read more